ગૃહમંત્રી અમિત શાહે સોમવારના રોજ રાજ્યસભામા એક સંકલ્પ રજૂ કર્યો કે જેમાં કહેવામાં આવ્યું કે, સંવિધાનની કલમ 370ના તમામ ખંડ જમ્મૂ-કાશ્મીરમાં લાગુ નહીં થાય. ગૃહમંત્રીએ કહ્યું, 'રાષ્ટ્રપતિના અનુમોદન બાદ કલમ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય.' આ પહેલા સોમવાર સવારનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળના એક કલાક લાંબી બેઠક ચાલી. ત્યારબાદ આ કલમ હટાવવાની અંગેની રજૂઆત અમિત શાહે સદનમાં કરી.
નોંધનીય છે કે, ભારતમાં 72 વર્ષ બાદ ઈતિહાસ બદલાયો છે. કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હવે ખતમ થયો છે. ત્યારે આ નિર્ણયથી કરોડો ભારતીયોને ફાયદો થશે. તથા સમગ્ર રાષ્ટ્રની જેમ જ કાશ્મીરમાં પણ વિકાસ થશે.
- આતંકવાદ
નોંધનીય છે કે, સેના અને સ્થાનિક વચ્ચે અથડામણની ઘટનાઓ છાશવારે થતી હતી. વારંવાર બનતી ઘટનાને કારણે વિશ્વભરના પ્રવાસીઓમાં આતંદવાદનો ડર રહેતો હતો. 370 કલમ દુર થવાને કારણે આ સમસ્યાનો ઉકેલ આવશે.
- પરિવારવાદ, નિશ્ચિત કાશ્મીરીઓ દ્વારા બિઝનેસ પર ઠેકો
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાય વર્ષોથી પરિવારવાદ તથા કેટલાક નિશ્ચિત કાશ્મીરીઓ દ્વારા બિઝનેસ પર અડીંગો જમાવેલો હતો. તેનું એક ઉદાહરણ આપતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં મળતી સીમેન્ટની બોરી કાશ્મીરમાં 100 રૂપિયા વધુ ચૂકવવા પડતા હતા. જે સમસ્યાનો અંત આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કાશ્મીરી નાગરિકતાં વાળા લોકોને જ બિઝનેસ કરવાની અનુમતિ જ્યારે હવે કરોડો ભારતીયોમાંથી કોઈ પણ ત્યાં બિઝનેસ કરી શકશે. અને પ્રોપરાઈટ પણ બની શકશે.
-સ્થાનિકો દેશવિરોધી વૃતિ
જમ્મુ કાશ્મીર વિશેષ દરજ્જો ધરાવતું રાજ્ય હોવાથી સ્થાનિકો દ્વારા દેશ વિરોધ વૃત્તિ પણ કરવામાં પણ આવી રહી હતી. જમ્મુ કાશ્મીરમાં છાશવારે પત્થરબાજી અને તોફાનો પણ થતાં જેનો હવે અંત આવશે.
હવે કાશ્મીરનો થશે વિકાસ
- તમામ હકો અને વ્યવસ્થા, કાયદો સીધો કેન્દ્રના હાથમાં
કાશ્મીરમાં અત્યાર સુધી બેવડી નાગરિકતાં હતી અર્થાત્ કાશ્મીરી નાગરિક કાશ્મીર અને ભારત એમ બંનેનો નાગરિક કહેવાય જ્યારે આપણે કાશ્મીરના નાગરિક ન કહેવાય. પરંતુ હવે આપણે પણ અન્ય રાજ્યની જેમ કાશ્મીરનું નાગરિકત્વ પ્રાપ્ત કરી શકીશું . નાગરિક તરીકે કાશ્મીરમાં રહી તમામ પ્રકારના સરકારી લાભ મેળવી શકીશું.
આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવી સુવિધાઓ પણ પ્રાપ્ત કરી શકીશું. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વિદેશીની જેમ કાશ્મીરી બંધારણ મુજબ RPC (રણબીર પીનલ કોડ) અનુસાર સજા થતી હતી. જ્યારે હવે આપણે કોઈ પણ ગુનો કરીશું તો IPC (ઈન્ડિયન પીનલ કોડ) મુજબ સજા થશે.
-પર્યટનનો થશે વિકાસ
જમ્મુ કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવે છે, લાખો પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરની મુલાકાતે આવે છે તેમ છતાં વિશેષ દરજ્જો ધરાવતા રાજ્યમાં ઘણી મર્યાદા હોવાને કારણે તેનો સંપૂર્ણ વિકાસ થઇ શકતો નહોતો. આગામી સમયમાં પર્યટન સ્થળ તરીકે પણ જમ્મુ કાશ્મીરનો વિકાસ થશે અને સ્થાનિકોને વધુ રોજગારી પ્રાપ્ત થશે.
- મિલકત ખરીદી શકાશે
આપને જણાવી દઇએ કે, અત્યાર સુધી અત્યાર સુધી આપણે કાશ્મીરમાં મિલકત ખરીદી ન શકતાં કારણે કલમ 35 A અનુસાર આપણે કાશ્મીર નાગરિક ન હતાં. પરંતુ હવે આપણે જમીન, મકાન કે પછી કોઈ પણ પ્રકારની મિલકત ખરીદી શકીશું અને દસ્તાવેજ પણ થશે.
- પ્રવાસી અનુભવશે સલામતી
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટી ગયા બાદ ભારતના તમામ કાયદા લાગુ પડશે. એટલે કે કોઇ ગુનો કરશે તો તેને સજા ભારતીય બંધારણ મુજબ જ થશે જેથી સ્થાનિકો દ્વારા કરવામાં આવતી ગુનાહિત પ્રવૃત્તિ અટકશે અને કાશ્મરીના પ્રવાસે આવતા લોકો સલામતી અનુભવશે.