સાંધાનો દુખાવો એટલે કે ગઠિયાનો રોગ આજકાલ મોટી ઉંમરમાં જ નહીં પણ નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે. આ તકલીફ મસલ્સમાં નબળાઈ, હાડકાંઓમાં દર્દ, હાથ-પગમાં સોજા, હરવા-ફરવા અને ઉઠવા-બેસવામાં પરેશાની શરીરમાં પોષક તત્વોની કમીનો સંકેત હોઈ શકે છે. આ તકલીફથી ધીરે-ધીરે નર્વસ સિસ્ટમ બગડવાનું શરૂ થાય છે, જેના કારણે ગઠિયાનો રોગ પેદા થાય છે. હાડકાંઓના આ રોગને આર્થ્રાઈટિસના નામે પણ ઓળખાય છે. ચાલો જાણીએ આ રોગ ઘરેલૂ ઉપાયોથી કઈ રીતે ઠીક કરી શકાય.
સાંધાઓનો દુખાવો મટાડશે આ ઉપાય
નીલગિરીનું તેલ ગઠિયાના રોગીઓ માટે રામબાણ
દર્દ અને સોજામાં આપશે તરત રાહત
આ રીતે વધે છે આ સમસ્યા
શરૂઆતમાં જ્યારે શરીરના સાંધાઓમાં દુખાવો રહેતો હોય અને તમે બેદરકારી કરો છો તો આ સમસ્યા વધી જાય છે. આ સિવાય શરીરમાં યૂરિક એસિડ વધવાથી આ તકલીફ વધી જાય છે. જેના કારણે હાડકાંઓમાં અસહ્ય દર્દ થાય છે
આ ઘરેલૂ ઉપાય દૂર કરશે દર્દ
ગરમ પાણીમાં 3-4 ટીપાં લેમનગ્રાસ ઓઈલના નાખીને તેનાથી હાથ અને પગને સ્ટીમ આપો.તેનાથી દુખાવાની સાથે સોજો પણ દૂર થવા લાગશે.
લવેન્ડર ઓઈલનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત મળે છે. સરસિયાના તેલમાં લવેન્ડર ઓઈલ મિક્સ કરીને હળવા હાથે સાંધાઓમાં મસાજ કરો.
નીલગિરીનું તેલ દુખાવો અને સોજો દૂર કરવામાં મદદ કરે છે. નહાતી વખતે નવશેકા પાણીમાં આ તેલના થોડાં ટીપાં નાખવાથી જલ્દી ફાયદો થશે. રોજ આ પ્રયોગ અપનાવો.
જિન્જર ઓઈલમાં લવેન્ડર કે લેમનગ્રાસ ઓઈલ બરાબર માત્રામાં મિક્સ કરીને સાંધા પર તેનાથી મસાજ કરવું. દુખાવો દૂર કરવામાં મદદ કરશે.
નારિયેળ તેલમાં પિપરમિન્ટ ઓઈલના 5થી 8 ટીપાં મિક્સ કરીને નવશેકું ગરમ કરી લો. પછી આ તેલથી સાંધાઓ પર મસાજ કરો. દિવસમાં 3-4 વાર આનો ઉપયોગ કરવાથી તરત ફાયદો થશે.