પુરૂષો કરતાં મહિલાઓમાં 20 ટકા વધુ આર્થ્રાઇટિસના કિસ્સા બની રહ્યા છે. ટીજીઆઇ રોહતકના ઓર્થો વિભાગમાં આવનારા દર્દીઓના આંકડા જોઇએ તો પુરૂષોની તુલનામાં મહિલાઓમાં આ બીમારી વધુ જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આર્થ્રાઇટિસની સમસ્યા ખાસ કરીને એક્સિડન્ટ, મેદસ્વિતા, વધુ પડતી નબળાઇ અથવા તો ઉંમર વધવાના કારણે થાય છે. મહિલાઓનું વજન પુરુષોની તુલનાએ વધુ હોય છે અને ખરાબ ખાણી-પીણીના કારણે આ બીમારી વધુ થઇ રહી છે.
પુરૂષો કરતાં મહિલાઓમાં 20 ટકા વધુ આર્થ્રાઇટિસના કિસ્સા
ખરાબ ખાણી-પીણીના કારણે આ બીમારી થાય છે
આમાં ચાલવા-ફરવામાં કે ઊઠવા-બેસવામાં પરેશાની થાય છે
હરિયાણાના 50 ટકા લોકો સાંધાના દુખાવાથી પીડાઇ રહ્યા છે, તેમાંથી 20 ટકા લોકો એવા છે, જેમને ઘૂંટણ-કોણી સહિત સાંધાનો દુખાવો થઇ રહ્યો છે. આ બીમારીથી 10 ટકા પુરુષ અને 20 ટકા મહિલાઓનાં હાડકાં સમય કરતાં પહેલાં ખરાબ થવા લાગ્યાં છે. ડોક્ટરોનું કહેવું છે કે અનિયમિત દિનચર્યા અને પૌષ્ટિક આહારના ઓછા સેવનના કારણે લોકો આ બીમારીથી પીડાઇ રહ્યા છે.
આર્થ્રાઇટિસનો સૌથી સામાન્ય પ્રકાર છે- ઓસ્ટિયો આર્થ્રાઇટિસ. તેની અસર સાંધાનો દુખાવો, ખાસ કરીને થાપા, ઘૂંટણ-ગરદન અને પીઠના નીચેના ભાગમાં તેમજ હાથ-પગ પર પડે છે. ઓસ્ટિયો આર્થ્રાઇટિસ ખાસ કરીને કાર્ટિલેજ જોઇન્ટમાં થાય છે. કાર્ટિલેજ હાડકાંની સપાટી પર રહેલા સોફ્ટ ટિશ્યૂ છે, જે આર્થ્રાઇટિસના કારણે પાતળું થવા લાગે છે, તેનાથી હાડકાં પર રહેલ કુશન ઘટે છે અને હાડકાં એકબીજા સાથે ઘસાવા લાગે છે. આર્થ્રાઇટિસનાં લક્ષણ તેના પ્રકાર પર નિર્ભર છે. તેનાથી દર્દ-સાંધા જકડાઇ જવા, સોજો આવવો, ચાલવા-ફરવામાં કે ઊઠવા-બેસવામાં પરેશાની થવી જેવી તકલીફો થાય છે.
આ છે ઉપચાર
સાંધાના દુખાવામાં પૌષ્ટિક આહારનું સેવન, હળવો તડકો, હળવી માલિશ અને કસરત આવશ્યક છે. નિષ્ણાતો કહે છે કે આર્થ્રાઇટિસના ત્રણ પ્રકાર છે- માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. માઈલ્ડ આર્થ્રાઇટિસમાં દર્દીને પેઇન કિલર ગોળી સાથે વ્યાયામ કરાવવાની અને હાડકાં વચ્ચે રહેલા ફર્ટિલેજને સુધારવાની દવા અપાય છે. મોર્ડરેટ આર્થ્રાઇટિસમાં હાઇલુરોનિક એસિડ ઇન્જેક્શન આપવામાં આવે છે. સિવિયરમાં વ્યક્તિની ઉંમર લગભગ 45 વર્ષથી વધુ હોય છે. આવા લોકોને વધુ પરેશાની થાય ત્યારે ઓપરેશન કરવામાં આવે છે.