કોંગ્રેસ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદની બુક સનરાઈઝ ઓવર અયોધ્યા પર વિવાદ જોર પકડી રહ્યો છે.
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના ઘેર પર ભારે પથ્થરમારો
નૈનીતાલના ઘેર પથ્થરમારો અને આગજનીની ઘટના
ભાજપ કાર્યકરો પર આરોપ
અયોધ્યા પર બુક લખવા બદલ વિરોધ કરાઈ રહ્યો છે
સલમાન ખુર્શીદના નૈનીતાલમાં આવેલા ઘર પર પથ્થરમારો અને આગજનીની ઘટના બની છે. આરોપ છે કે ભાજપના કાર્યકરોએ સલમાન ખુર્શીદના ઘેર પર પથ્થરમારો કર્યો હતો તથા આગ પણ લગાડી હતી.
ઉપદ્રવીઓના હાથમાં ભાજપના ઝંડા હતા તથા તેઓ કોમવાદી નારા લગાવી રહ્યાં હતા-સલમાન ખુર્શીદ
આ ઘટનાની માહિતી ફેસબુક પર આપતા સલમાન ખુર્શીદે જણાવ્યું કે ઉપદ્રવીઓના હાથમાં ભાજપના ઝંડા હતા તથા તેઓ કોમવાદી નારા લગાવી રહ્યાં હતા. જે સમય ભાજપના કાર્યકરોનો કહેવાતો હુમલો થયો તે સમયે ખુર્શીદ પરિવારનું કોઈ ઘરમાં હાજર નહોતું. ઘટનામાં કોઈના ઘાયલ થવાની કે કોઈના નુકશાન થયાની ખબર નથી.
This is disgraceful. @salman7khurshid is a statesman who has done India proud in international forums &always articulated a moderate, centrist, inclusive vision of the country domestically. The mounting levels of intolerance in our politics should be denounced by those in power. https://t.co/OQFBoN1Pgw
સલમાન ખુર્શીદનો કેમ વિરોધ થઈ રહ્યો છે
કોંગ્રેસ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ તેમની બુક સનરાઈઝ ઓવર અયોધ્યાને કારણે વિવાદમાં સપડાયા છે. સલમાન ખુર્શીદે આ બૂકમાં હિંદુવાદી રાજનીતિને આતંકી સંગઠન આઈએસ અને બોકો હરમ સાથે સરખાવી હતી અને તેને ખતરનાક ગણાવી હતી. ખુર્શીદના ઘેર પર હુમલો થયાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે તેમના ઘેર પહોંચીને સ્થિતિને કાબૂમાં કરી લીધી હતી. પોલીસે તત્કાળ આગ બુઝાવી દીધી હતી. તેમના ઘેર બહાર પોલીસની તહેનાતી કરી દેવાઈ છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
શું આ હિંદુત્વ છે? સલમાન ખુર્શીદનું નિવેદન
પોતાના ઘર પર થયેલા હુમલા બાદ બોલતા કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે જણાવ્યું કે શું આ હિંદુત્વ છે. તેમણે ફેસબુક પર કહ્યું કે શું હજુ પણ ખોટો છું. બીજી તરફ કોગ્રેસ સાંસદ શશી થરુરે પણ આ ઘટનાની ટીકા કરીને તેને શરમજનક ગણાવી છે. શશી થરુરે ટ્વીટ કરીને જણાવ્યું કે એક રાજકારણી કે જેમણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું અને હંમેશાં સ્થાનિક સ્તરે દેશનો ઉદાર, મધ્યવર્તી, સર્વસમાવેશક દૃષ્ટિકોણ વ્યક્ત કર્યો છે. આપણા રાજકારણમાં અસહિષ્ણુતાના વધતા સ્તરે સત્તામાં રહેલા લોકોની નિંદા કરવી જોઈએ.
VHP એ ખુર્શીદની જીભ કાપી લેવાની ધમકી આપી હતી
અયોધ્યા ઓવર સનરાઈઝ બૂક પ્રસિદ્ધ થયા બાદ વીએચપીએ સલમાન ખુર્શીદનું પૂંતળુ સળગાવ્યું હતું અને તેમની જીભ કાપી નાખવાની પણ ધમકી આપી હતી.