અભિનેત્રી સ્વરા ભાસ્કર ફરીવાર ચર્ચામાં છે. CAA અને NRC વખતે દેશમાં મોદી સરકારનો ખુલીને વિરોધ કરનાર સ્વરા ભાસ્કરની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ટ્વીટર પર #ArrestSwaraBhaskar ટ્રેન્ડ કરી રહ્યું છે જે બાદ સ્વરાએ ટ્વીટર પર જ નિવેદન આપ્યું છે.
ટ્વીટર પર ટ્રેન્ડ થયું #ArrestSwaraBhaskar
સ્વરા ભાસ્કરનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
દિલ્હીમાં રમખાણો માટે સ્વરા પર લાગવાયા આરોપ
વિરોધીઓને જડબાતોડ જવાબ આપવા માટે પ્રખ્યાત સ્વરા ભાસ્કર અત્યારે ફરીએકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં સ્વરા ભાસ્કરની ધરપકડ કરવા માટેની માંગણીઓ કરવામાં આવી રહી છે. ટ્વીટર પર #ArrestSwaraBhaskar ટ્રેન્ડ કરી રહ્યું છે.
નોંધનીય છે કે સ્વરા ભાસ્કરના જૂના ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ભાષણ તે સમયનો છે જ્યારે દેશભરમાં CAA અને NRC પર હંગામો કરવામાં આવી રહ્યો હતો. ઘણા બધા યુઝર્સે સ્વરા ભાસ્કર પર દિલ્હીમાં રમખાણો ફેલાવવાનો આરોપ લાગાવ્યો.
બીજી તરફ અરેસ્ટ સ્વરા ભાસ્કર ટ્રેન્ડ કરી રહ્યું છે તેના પર અભિનેત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે પોતાના ટ્વીટર હેન્ડલથી કહ્યું '...આ જ કારણથી ભારતના મોટા ભાગના સિતારા માત્ર હાથીઓ માટે જ અવાજ ઉઠાવે છે.'
નોંધનીય છે કે સ્વરા ભાસ્કર મોદી સરકારના વિરોધને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. CAA અને NRC ના વિરોધમાં પણ ખુલીને તે મેદાનમાં આવી ગઈ હતી. સ્વરા ભાસ્કરે ભાષણમાં પૂછ્યું હતું કે મુસ્લિમોને કેમ નિશાનો બનાવવામાં આવે છે. સ્વરાનું આ નિવેદન સર્વોચ્ચ અદાલતના એક નિર્ણય બાદ આવ્યું હતું.