મુંદ્રા કસ્ડોડિય ડેથ મામલે શક્તિસિંહ ગોહિલ, અશોક કનાડ, જયદેવસિંહ ગોહિલને ઝડપી પાડવામાં આવ્યાં છે. FIRમાં આ ત્રણ પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
ક્ચ્છ મુન્દ્રા કસ્ટોડીયલ ડેથના મુખ્ય સૂત્રધાર ઝડપાયા
શક્તિસિંહ ગોહિલ સહિત ત્રણની ધરપકડ
ત્રણેય આરોપી ત્રણ અલગ-અલગ રાજ્યમાં છૂપાયા હતા
ક્ચ્છ મુન્દ્રા કસ્ટોડીયલ ડેથ મામલાના મુખ્ય સુત્રધાર ઝડપાયા છે. પશ્ચિમ ક્ચ્છના પોલીસ વડા સૌરભ સિંગેની પત્રકાર પરિષદ યોજી છે. જેમાં શક્તિસિંહ ગોહિલ, અશોક કનાડ, જયદેવસિંહ ગોહિલને ઝડપી પાડવામાં આવ્યાં છે. આ FIRમાં ત્રણ પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. તેમજ આ ફરિયાદની તપાસ DYSPને સોંપવામાં આવી હતી. આ તપાસમાં વધુ 7ની સંડોવણી બહાર આવી હતી.
આ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ભાવનગર પોલીસની સંયુક્ત કાર્યવાહીથી આરોપોને ઝડપી લેવામાં આવ્યાં છે. આ સાથે આરોપીને શરણ આપનાર તેમજ મદદ કરનાર વિરુદ્ધ પણ ગુનો નોંધાશે. આ કેસના મુખ્ય આરોપીઓ અલગ અલગ જગ્યાએ જતાં રહ્યાં હતાં. તેઓ પહેલા મુંબઈ પછી ગોવા અને હૈદરાબાદથી દાદર-નગર-હવેલી સહિત જગ્યાએ ગયાં હતાં.
ભાવનગરની હોટલમાંથી ઝડપાયા આરોપી
સમગ્ર કેસમાં મુખ્ય આરોપીઓની ધરપકડ ન થતા પીલીસ કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. પરંતુ પશ્ચિમ ક્ચ્છ પોલીસની વિવિધ ટીમો ફરાર આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી હતી. ટેક્નિકલ હ્યુંમન સર્વેલન્સના આધારે બાતમી મળી કે, ફરાર આરોપી પોલીસ કર્મીઓ ભાવનગરમાં છે. જેથી પશ્ચિમ ક્ચ્છ LCBએ ભાવનગર પોલીસને સાથે રાખી સંયુક્ત કાર્યવાહીમાં ત્રણેય આરોપી જયદેવસિંહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ અને અશોક કનાદને ભાવનગરની હોટેલમાંથી ઝડપી પાડ્યાં હતા.
છૂપવા માટે ભારતના ત્રણ રાજ્યમાં ફરતા હતા
આરોપીઓ ઝડપાયા બાદ પશ્ચિમ ક્ચ્છ પોલીસ વડા સૌરભ સિંઘે પત્રકાર પરિષદ યોજી હતી. પીલીસ વડા સૌરભસિંઘે જણાવ્યું કે, ગુનો આચર્યાં બાદ ત્રણે પોલીસ કોન્સ્ટેબલ નરવીરસિંહ સરવૈયાની કાર લઈ કચ્છ બહાર ભાગી છૂટ્યાં હતા. આરોપીઓ ભાગીને સૌ પ્રથમ મુંબઈ પહોંચ્યા. જ્યાંથી ગોવા પહોંચ્યા હતા. ત્યાંથી નીકળી તેઓ હૈદરાબાદ જવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં વાહન ખરાબ થતા તેઓ વાહનને ત્યાં જ મૂકી ટ્રક મારફતે હૈદ્રાબાદ પહોંચ્યા હતા.
અંતે ભાવનગરની હોટલમાંથી ઝડપાયા
હૈદ્રાબાદથી તેઓ સંઘપ્રદેશ સેલવાસ આવ્યાં હતા અને સેલવાસથી તેઓ ભાવનગર પહોંચ્યાં હતા. આમ સતત વિવિધ સ્થળો પર નાસતા ફરતા રહેતા હોવાથી પોલીસ નજરથી બચી રહ્યા હતા. હાલ જ્યારે ફરાર ત્રણે આરોપી ઝડપાઇ જતા પોલીસ પણ રાહતનો શ્વાસ લીધો છે.
શું હતો સમગ્ર મામલો
સમાઘોઘામાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે અરજણ ગઢવી, હરજુગ ગઢવી અને શામરા ગઢવીની શંકાસ્પદ આરોપી તરીકે ધરપકડ કરી હતી. પૂછપરછના બહાને ત્રણેય વ્યક્તિઓને 8-9 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખીને અસહ્ય માર મારવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ત્રણેય વ્યક્તિઓને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને લઇને ત્રણેય યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય હતા. જેમાં 19 જાન્યુઆરીના રોજ અરજણ ગઢવીનું પોલીસ સ્ટેશનમાં માર મારતા મૃત્યુ થયું હતું. જ્યારે અમદાવાદ હોસ્પિટલ સંકુલમાં કિડની હોસ્પિટલમાં સારવાર દરમિયાન 22 વર્ષના હરજુગ ગઢવીનું મોત થયું હતું.