અમદાવાદમાં મહામારીમાં લોકોને મદદ કરવાની જગ્યાએ કેટલાક શખ્સો માનવતા ભૂલી ઓક્સિજનની કાળા બજારી કરતા ઝડપાયા
અમદાવાદમાં ઓક્સિજનની કાળા બજારી
કાળા બજારી અંગે ક્રાઇમ બ્રાંચનું નિવેદન
કાળા બજારી કરનાર ત્રણ આરોપી ઝડપાયા
કોરોના મહામારીનો ફાયદો ઉઠાવી કેટલાક શખ્સો કાળા બજારી કરી રહ્યાં છે. મહામારીમાં લોકોને મદદ કરવાની જગ્યાએ કેટલાક શખ્સો માનવતા ભૂલી ઓક્સિજનની કાળા બજારી કરી રહ્યાં છે. અમદાવાદમાં પણ ઓક્સિજનનના અભાવે લોકો તડફી તડફીને મરી રહ્યાં છે. ત્યારે શહેરના સરખેજમાં ઓક્સિજનની કાળા બજારીનો પર્દાફાશ થયો છે. પોલીસે ઓક્સિજનની કાળાબજારી કરનાર ત્રણ શખ્સોને પકડી પાડ્યાં છે.
આ અંગે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે સરખેજમાં સેફટી નામના ગોડાઉનમાંથી 39 સિલિન્ડર મળી આવ્યાં છે. એટલું જ નહીં આ આરોપીઓએ અત્યાર સુધી 200 ઓક્સિજન સિલિન્ડરનું વેચાણ પણ કરી નાખ્યું છે. ગુજરાત સેફટી અને ગુજરાત ફાયર સીસ્ટમ કંપની ઓક્સિજનનું કાળા બજારમાં વેચાણ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું કે કોઈ પણ લાયસન્સ ન હોવા છતાં ઓક્સિજનનું વેચાણ કરતા હતા. હાલ પોલીસે જૈદ અસલમ ઝુદામી અને તેના પિતાની પૂછપરછ હાથ ધરી છે.
રાજકોટ માટે રાહતના સમાચાર
તો બીજી તરફ રાજકોટવાસીઓને ઓક્સિજન માટે વલખાં મારવા પડશે નહીં. ટુંક સમયમાં જ લોકોને પુરતા સમયમાં ઓક્સિજન મળી રહેશે. કારણ કે કોરોના મહામારી વચ્ચે ધોરાજી અને ઉપલેટાના લોકો માટે ખૂબજ મહત્વના સમાચાર છે. સરકાર દ્વારા ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ઓક્સીઝન પ્લાન્ટનું ખાત મુર્હત કરવામાં આવ્યું છે. આ કામ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવશે.
ઓક્સીઝન પ્લાનની કેપેસીટી દર કલાકે 500 લીટરની છે. જેથી અહીંના લોકો માટે હવે ઓક્સીઝનની કોઈ કમી નહીં રહે. મહત્વનું છે કે, હાલ ધોરાજી હોસ્પિટલમાં રોજના 30 હજાર રૂપિયાનો ઓક્સિઝનનો ખર્ચ આવી રહ્યો છે, કાર્યોઝેનીક ટેન્ક દ્વારા ઓક્સીઝનની વ્યવસ્થા છે જે બહાર ભરાવા જવું પડે છે. હવે જયારે ઓક્સીઝન પ્લાન અહીં શરુ થશે ત્યારે હવે ઓક્સીઝન બહાર ભરાવવા જવું નહીં પડે અને લોકોને ઘર આંગણે જ ઓક્સીઝન સાથેની મેડિકલ સુવિધા ઉભી થશે.