વડોદરાના સોની પરિવાર પાસેથી 9 જ્યોતિષોએ વાસ્તુદોષ દૂર કરવાના બહાને 35 લાખ રૂપિયા પડાવ્યા હતા, જે બાદ પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે 2 જ્યોતિષની કરી ધરપકડ
રાજસ્થાનથી 2 જ્યોતિષની કરી ધરપકડ
9 જ્યોતિષ સામે ગુનો દાખલ કરાયો હતો
વડોદરાના સોની પરિવારના સામૂહિક આપઘાતના મામલે પોલીસે 2 જ્યૉતિષની ધરપકડ કરી છે. પોલીસે આ બન્ને જ્યૉતિષની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આ કેસમાં કુલ 9 જ્યૉતિષ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને સોની પરિવારના કુલ 6 સભ્યોમાંથી 4 સભ્યોના મૃત્યુ થયા છે. મહત્વનું છે કે આ જ્યોતિષોએ વાસ્તુદોષ દૂર કરવાના બહાને સોની પરિવાર પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા હતા.
9 જ્યૉતિષ વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ
3 માર્ચના દિવસે વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના બાદ 6 પૈકી 4 સભ્યના મોત નિપજ્યા હતા. જે બાદ પોલીસે 9 જ્યોતિષીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાંથી 5 જ્યોતિષીઓએ વડોદરા કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જયારે અમદાવાદના જ્યોતિષ પ્રહલાદ જોષીની અરજી પર સુનાવણી થઇ હતી. તો અન્ય 4 જ્યોતિષીઓની અરજી પર 12 માર્ચે સુનાવણી થઈ છે. જેમાંથી 2 જ્યૉતિષની ધરપકડ આજે કરવામાં આવી છે. તો 9 પૈકી રાજસ્થાનના પુષ્કરના જ્યોતિષ ખીનરાજ જોષીનું મૃત્યુ થયું છે.
શું હતી સમગ્ર ઘટના
વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારે સામૂહિક આપઘાત પ્રયાસ કર્યો હતો. સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3 લોકોના તુરંત મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાંથી દિપ્તી સોનીનું પણ હવે મૃત્યુ થઈ ગયું છે.
કયા કયા જ્યોતિષીઓએ પડાવ્યા નાણાં?
1. સમીર જોષી, રહે રાણીપ, અમદાવાદ
2. હેમંત જોષી, ગોત્રી કેનાલ પાસે, વડોદરા
3. વિજય જોષી, અમદાવાદ
4. અલકેશ જોષી, અમદાવાદ
5. સાહિલ વોરા, આર્યુવેદીક ત્રણ રસ્તા, વડોદરા
6. સ્વરાજ જ્યોતિષ, અમદાવાદ
7. પ્રહલાદ, અમદાવાદ
8. દિનેશ, અમદાવાદ
9. અજાણ્યો સક્ષ, પુષ્કર