પોરબંદરમાં દરિયાઈકાંઠાના વિસ્તારના લોકોને સ્થળાતંરિત કરવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં હાલ દરિયો ગાંડોતૂર બની રહ્યો છે. વાયુ વાવાઝોડના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારના ગામોમાંથી જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેઓ માટે પોરબંદરમાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. પોરબંદરવાસીઓ લોકોની મદદે આવ્યા છે અને લોકો માટે જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં જમવાનુ બનાવવામાં આવી રહ્યું છે. રોટલી અને શાક બનાવવાની વ્યવસ્થા કરવામા આવી છે.