કેન્સર પીડિત માંની સારવાર માટે બેરોજગાર દીકરાએ મદદ માંગતા હાઇકોર્ટે તાત્કાલિક ત્રણ દિવસની અંદર સારવાર શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
કેન્સરપીડિત માતા માટે બેરોજગાર યુવકે માંગી મદદ
અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે આપ્યો આદેશ
ત્રણ દિવસમાં યુવકની માતાનો ઈલાજ શરૂ કરવા આપ્યો આદેશ
હાઈકોર્ટની લખનઉ બેંચે રાજધાનીની કેન્સરથી પીડિત મહિલાની સારવાર માટે KGMU, લોહિયા હોસ્પિટલ અને SGPGI ના સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે. કોર્ટે કહ્યું કે મહિલા દર્દીને ત્રણ દિવસમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને તરત જ તેની સારવાર શરૂ કરવામાં આવે.
હાઇકોર્ટની બેન્ચે આપ્યો હતો આ આદેશ
જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ મનીષ કુમારની બેંચે સોહેન્દ્ર લખન પાલ દ્વારા દાખલ અરજી પર આ આદેશ આપ્યો હતો. અરજદારે કેન્સરથી પીડિત તેની માતાને યોગ્ય રીતે સારવાર આપવા વિનંતી કરી હતી. આ કેસના સલાહકાર એડવોકેટ મુરલી મનોહર શ્રીવાસ્તવે કહ્યું કે અરજદાર હકીકતે બેરોજગાર છે. તેના પિતા એક સ્વતંત્ર પત્રકાર છે જે લગભગ એક દાયકાથી બેકાર હતા અને અરજીકર્તાની માતા પણ ગૃહિણી છે. આવી સ્થિતિમાં, અરજદારના પરિવારને કોઈ આવક નથી.
સરકારી વકીલે કહ્યું કે સરકારે આવા દર્દીઓની મફત સારવાર માટેની વ્યવસ્થા કરી છે, અને વર્ષ 2013 માં તેના નિયમો બનાવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે અરજદારની પારિવારિક આવક નગણ્ય હોવાથી, તેની માતાને નિયમો હેઠળ વિના મૂલ્યે સારવાર આપી શકાય છે. કોર્ટે ઉપરોક્ત ત્રણેય હોસ્પિટલોના સંબંધિત તબીબી અધિકારીઓને મહિલાને પરસ્પર સમન્વયમાં સારવાર આપવા સૂચના આપી છે. તેમજ આ કેસની આગામી સુનાવણી 24 માર્ચે નક્કી કરવામાં આવી છે અને કેજીએમયુના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ પાસેથી સારવાર સંબંધી કાર્યવાહીની રિપોર્ટ સમન કરવામાં આવી છે.