જમ્મુ અને કાશ્મીરના ઝોજિલા પાસમાં એક ટેક્સી ઊંડી ખીણમાં પડી જતાં ઘણાં પર્યટકોના મોત અહેવાલો મળી રહ્યાં છે જેમાંથી એક સુરતનો પણ પર્યટક સામેલ છે
જમ્મુ કાશ્મીરમાં પર્યટકોની ગાડીને અકસ્માત
ગાડી 500 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી.
ગાડીમાં સવાર હતાં 7 પર્યટકો
પર્યટકોમાં એક સુરતનો હોવાની માહિતી
Around 7-8 people are feared to have died after a vehicle skidded off the road and fell into a deep gorge at Zojila pass early morning: Disaster Management Authority JK Govt
જમ્મુ અને કાશ્મીરના ઝોજિલા પાસમાં એક ટેક્સી ઊંડી ખીણમાં પડી જતાં ઘણા લોકોના મોતની આશંકા છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી છે. બુધવારે મોડી રાત્રે, એક ટેક્સી શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી લપસીને ઊંડી ખાડીમાં પડી હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ઝોજિલા પાસ લગભગ 3,400 મીટરની ઉંચાઈ પર છે. આ ટેક્સી કારગિલથી શ્રીનગર જઈ રહી હતી.
ગાડીમાં સવાર 7 લોકો માંથી 6 ના મૃત્યુ એકની હાલત ગંભીર
મહત્વનું છે કે, આજે સવારે જમ્મુ કાશ્મીરમાં પર્યટકોની ગાડીને અકસ્માત નડ્યો છે. જેમાં ગાડી 500 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. કહેવાઈ રહ્યું છે કે, ગાડીમાં 7 પર્યટકો સવાર હતાં. જેમાં એક પર્યટક સુરતના સુરતના 36 વર્ષીય અંકિત દિલીપકુમાર હોવાની માહિતી મળી છે. જેમનું આ દુર્ઘટનામાંમૃત્યુ થયું હોવાની માહિતી સામે આવી રહી છે.
ગત ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં પણ દુર્ઘટના બની હતી.
આ પહેલા ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક નિર્માણાધીન ટનલનો ભાગ તૂટી પડતાં 10 લોકોનાં મોત થયાં હતાં. ગત ગુરુવારે રાત્રે અચાનક ભૂસ્ખલન થતાં નવ મજૂરો કાટમાળમાં ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે, T-4 સુધી નિર્માણાધીન ટનલના મુખ પર ભૂસ્ખલન થયું હતું. જેમાં ત્યાં કામ કરતા મજૂરો ફસાઈ ગયા હતા. ભૂસ્ખલનમાં અનેક ટ્રકો, ખોદકામ કરનારા અને અન્ય વાહનોને સંપૂર્ણપણે નુકસાન થયું હતું.