કાશ્મીરની ઘાટીમાં લાઈન ઓફ કન્ટ્રોલ પર ફરી પાકિસ્તાન નાપાક હરકતને ઓપ આપવાની ફિરાકમાં છે . પીઓકેમાં લગભગ 300 આતંકવાદી તૈયાર બેઠા છે. પાક. આતંકીઓ ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી માટે બસ પોતાના આકાઓના ઈશારે તેમના નાપાક ઈરાદાને પાર પાડવાની તડામાર તૈયારીઓમાં છે.
ઈન્ડિયન આર્મી એન્ટી-ઘૂસણખોરી ગ્રીડ અને આતંકવાદ વિરોધી રણનીતિ તૈયાર
આ વખતે આતંકવાદી કોરોનાગ્રસ્ત થઈને આવે તેવી શક્યતા
એલઓસી પર પેટ્રોલિંગ દરમિયાન સર્તકતા દાખવામાં આવી રહી છે
પાકિસ્તાના આ બદ ઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના આવી ઘૂસણખોરીને રોકવા સંપૂર્ણ તૈયારી સાથે તૈયાર છે. આ માટે ભારતીય સેના પોતાની એન્ટી ઘૂસણખોરી ગ્રીડ અને આતંકવાદ વિરોધી રણનીતિઓ પર એકવાર ફરીથી મજબૂત અને સક્રિય કરવા માટે જરુરી પગલા ભરી રહી છે.
કાશ્મીરમાં રણનીતિના ભાગ રુપે 15મી બટાલિયનની કમાન સંભાળનારા લેફ્ટિનેન્ટ જનરલ બીએસ રાજુએ આતંકવાદીઓની ઘૂસણખોરીની શક્યતાની સાથે કોરોના વાયરસના વધતા પ્રભાવને જોઈ એલઓસી પર પેટ્રોલિંગ દરમિયાન સખત સતર્કતા દાખવવા કહ્યું છે. તેમણે આતંકવાદીઓના સંક્રમિત હોવાની વાતને પણ નથી નકારી.