કોરોના વાયરસને લઈને સમગ્ર વિશ્વમાં ચર્ચા જાગી છે ત્યારે ગુજરાત સરકારે પણ કોરોના વાયરસને લઈને ત્યાં રહેલા ભારતીય વિધાર્થીઓને વતન પરત લાવવાની કાર્યવાહી શરૂ કરી છે તેમજ ગુજરાતના તબીબો સાથે રાજ્ય સરકારે એક મિટિંગનું પણ આયોજન કર્યું હતું. કોરોના વાયરસ સાથે લડવા માટે ગુજરાત સરકાર પણ સુસજ્જ છે. ત્યારે હવે ભાવનગર જિલ્લાના 100 વિદ્યાર્થીઓ ચીનમાં અટવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
ભાવનગરમાં 100 વિદ્યાર્થીઓ ચીનમાં અટવાયા
ફ્લાઈટ ન મળતા વિદ્યાર્થીઓ અટવાયા
ચીનમાં અભ્યાસ માટે ગયાં હતા
ચીનમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસના કારણે આખા વિશ્વમાં હાહાકાર મચ્યો છે. ચીન સહિત વિશ્વના અનેક દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાં છે. ત્યારે ભારત અને ગુજરાતથી અભ્યાસ માટે થયેલા વિદ્યાર્થીઓની ચીનમાં મુશ્કેલી વધી છે. કોરોના વાયરસના કારણે ચીનમાં ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે.
ભાવનગર જિલ્લાના 100 વિદ્યાર્થીઓ ચીનમાં અટવાયા
ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ અને ભારતના ૩૦૦ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક વિદ્યાર્થીઓને યુનિવર્સિટીથી બહાર નીકળવા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે વડોદરા બાદ ભાવનગર જિલ્લાના 100 વિદ્યાર્થીઓ ચીનમાં અટવાયા હોવાની માહિતી સામે આવી છે. ભારત આવવા માટે ફ્લાઈટ ન મળતા વિદ્યાર્થીઓ અટવાયા છે. આ 100 વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસ માટે ગયાં હતાં. વિદ્યાર્થીઓએ પોતાની આપવીતીનો વિડીયો બનાવીને સ્વજનોને મોકલ્યો છે.
બોટાદનો યુવક ચીનમાં ફસાસો
બોટાદનો યુવક ચીનમાં ફસાસો છે. સમીર નામનો યુવક ચીનના વ્યૂહાન શહેર નજીકના ગામમાં ફસાયો છે. યુનિવર્સિટીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આ યુવક અભ્યાસ કરે છે. પુત્ર ચીનમાં ફસાયેલો હોવાથી પરિવારજનો ચિંતામાં જોવા મળી છે. સરકાર પાસે માતા-પિતાએ મદદની માંગ કરી છે.
ગુજરાતના વેપારીઓએ ચીનનો પ્રવાસ રદ્દ કર્યો
ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અનેક લોકો મોતને ભેટયા છે. ચાઈનાથી ભારત આવતા લોકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વેપારીઓએ ચીનનો પ્રવાસ રદ્દ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચીનમાં ફસાયેલા ભારતીય લોકોને પરત લાવવા માટે વિજય રૂપાણી અને વિદેશમંત્રી જયશંકર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ સ્થિતિને જોતા ભારતીય દૂતાવાસ હરકતમાં આવ્યું છે અને ઝડપથી ભારતીયોને સ્વદેશ પહોંચાડવા માટે તજવીજ હાથ ધરી છે.