પત્રકાર અર્ણબ ગોસ્વામી સતત ચર્ચા અને વિવાદમાં રહે છે ત્યારે ઉદ્ધવ સરકાર પર લાઈવ શોમાં તેમણે કરેલા હુમલાઓના કારણે તેઓ ફરીથી ખૂબ ચર્ચામાં આવ્યા છે અને તેમણે જે શબ્દપ્રયોગ કર્યા છે તે ચોક્કસથી ઉદ્ધવ સરકારને નહીં ગમે.
તમે સંજય રાઉત જેવા ચાપલૂસોની સલાહ પર ચાલી રહ્યા છો: ગોસ્વામી
સુશાંત સિંહ રાજપૂત અને કંગના રણૌત મામલા પર મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે પર સતત નિશાન તાકી રહેલા પત્રકાર અર્ણબ ગોસ્વામી ફરીવાર સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે પર વરસ્યા. પોતાના ટીવી કાર્યક્રમમાં અર્ણબ ગોસ્વામીએ ઉદ્ધવ ઠાકરેને કહ્યું ઠાકરેની મારી સામે બોલવાની હિંમત નથી અને કહે છે કે રિપબ્લિક ભારત બંધ કરો.
નોંધનીય છે કે આ ચેનલ આરોપ લગાવી રહ્યું છે કે શિવસેના તેના ટીવી ચેનલના પ્રસારણને રોકવા માટે પ્રયત્ન કરી રહી છે. આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે મુંબઈના બધા જ કેબલ ઓપરેટર્સને ધમકી મળી રહી છે કે ચેનલના પ્રસારણને રોકી દેવામાં આવે. જે મુદ્દે પોતાના ટીવી પ્રોગ્રામમાં અર્ણબ ગોસ્વામીએ કહ્યું કે તમારા ચાપલૂસ નંબર બન વોકિંગ ટોકિંગ કૉમેડી શો સંજય રાઉત, જેણે કેબલ ઓપરેટર્સને ધમકી આપી છે કે રિપબ્લિક ભારત બંધ કરો.
અર્ણબ ગોસ્વામી એ કહ્યું કે અમે હંમેશા જનતાના મુદ્દા ઉઠાવ્યા છે. પાલઘરનો મુદ્દો દેશનો મુદ્દો હતો અને ત્યારે પણ અમારી અવાજને રોકવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. સુશાંતનો મુદ્દો પણ દેશનો મુદ્દો છે અને તમે ફરીથી અમારી અવાજને બંધ કરવા પ્રયત્ન કરી રહ્યા છો.
અર્ણબ ગોસ્વામી આટલામાં જ ન અટકયા, તેમણે કહ્યું કે તમે મુખ્યમંત્રી થવાના લાયક જ નથી. તમે સંજય રાઉત જેવા ચાપલૂસોની સલાહ પર ચાલી રહ્યા છો. તે બાદ અર્ણબ ગોસ્વામીએ સંજય રાઉતને કાર્ટૂન કેરેક્ટર ગણાવી દીધા .
અર્ણબ ગોસ્વામી સતત ઉદ્ધવ સરકાર પર વરસતા રહ્યા છે કહ્યું કે મને લાગે છે કે સવાર સવારમાં ઉદ્ધવ ઠાકરે ગુડ મોર્નિંગની જગ્યાએ ઉખાડી દઈશું શબ્દ વાપરતા હશે. સંજય રાઉત પોતાને અરીસામાં જોઇને પણ એવું જ કહેતા હશે કે ઉખાડી દઈશું. અર્ણબ ગોસ્વામીએ કહ્યું કે હું તમારો ઘમંડ તોડી નાખીશ.