ઉદ્ધવ ઠાકરેને તમામ મુદ્દે ડિબેટ કરવાની ફેંકી ચેલેન્જ
અર્નબે કહ્યું- ભારતના લોકોનો આ વિજય છે
ઉલ્લેખનીય છે કે, રાયગઢ જિલ્લાની તલોજા જેલમાંથી છૂટ્યા બાદ અર્નબે આ નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટ તરફથી વચગાળાના જામીન મળ્યા બાદ જ પત્રકાર અર્નબ ગોસ્વામીને તલોજા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમને આત્મહત્યા માટે ઈન્ટિરિયર ડિઝાઇનરને કથિત રીતે આત્મહત્યા માટે ઉકસાવાના 2018 ના કેસમાં 4 નવેમ્બરના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
અર્નબ ગોસ્વામીનું નિવેદન
જામીન મળ્યા બાદ અર્નબ ગોસ્વામીએ કહ્યું, "મારી ગેરકાયદેસર ધરપકડ એક સરકાર દ્વારા કરવામાં આવી હતી જે તે સમજવા માટે તૈયાર નથી કે તે સ્વતંત્ર મીડિયાને પાછળ રાખી શકશે નહીં. જો ઉદ્ધવ ઠાકરેને મારી પત્રકારત્વમાં કોઈ સમસ્યા છે, તો તેમણે મને ઇન્ટરવ્યૂ આપવો જોઇએ. હું તેમને પડકાર ફેંકું છું કે તેઓ મારી સાથે તમામ મુદ્દે ચર્ચા કરે જેમાં હું તેમની સાથે સહમત નથી થતો.
અર્નબે કહ્યું- ભારતના લોકોનો આ વિજય છે
રાત્રે 8.30 વાગ્યાની આસપાસ અર્નબ ગોસ્વામી જેલની બહાર મોકલવામાં આવ્યા હતા. જેલની બહારના હાજર રહેલા લોકોનું તેમણે વાહનમાંથી હાથ ઊંચો કરીને અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના આભારી છે. "ભારતના લોકોનો આ વિજય છે"
સુપ્રીમ કોર્ટે બુધવારે 2018 ના આત્મહત્યા માટે ઉકસાવવાના કેસમાં પત્રકાર અર્નબ ગોસ્વામીને બુધવારે વચગાળાના જામીન આપતાં કહ્યું કે, જો વ્યક્તિગત સ્વાતંત્ર્યને અવરોધવામાં આવે તો તે ન્યાયની મશ્કરી હશે. સર્વોચ્ચ અદાલતે વિચારધારા અને મંતવ્યના મતભેદોના આધારે લોકોને લક્ષ્યાંક બનાવવામાં રાજ્ય સરકારોના વલણ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.