ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે હવે રક્ષા મંત્રાલય પણ એક્શનમાં આવ્યું છે અને આગામી સમયમાં સેના પણ કોરોનામાં મદદરૂપ બનતી દેખાઈ શકે છે.
કોરોનાને અટકાવવા સેના સજ્જ
બીજી લહેર રોકવા મેદાને ઉતરશે સેના
રાજનાથ, નરવણે વચ્ચે થઇ વાતચીત
રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે આર્મી ચીફ વચ્ચે થઇ ચર્ચા
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દિવસેને દિવસે બેકાબૂ થઈ રહી છે. હવે રોજના અઢી લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના સતત વધતાં કેસ વચ્ચે રાજનાથ સિંહે આર્મી ચીફને કહ્યું છે સેનાના સ્થાનિક કમાન્ડર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરે છે અને દરેક સંભવ મદદ કરવા માટે આગળ આવે.
કૈન્ટ હોસ્પિટલમાં અન્ય લોકો માટે મેડિકલ સુવિધા ઉભી કરવા આદેશ
રક્ષા સચિવે પણ દેશભરમાં કેંટ બોર્ડની હોસ્પિટલોને નાગરિકો માટે ખોલવા તથા મેડિકલ સુવિધાઓ આપવા માટે નિર્દેશ આપ્યા છે. રાજનાથ સિંહે સેનાના ચીફ, રક્ષા સચિવ તથા DRDOના પ્રમુખ સાથે વાત કરી છે તથા કોરોના વાયરસ સામે નાગરિકોને સુવિધા આપવા માટે કહેવામાં આવ્યું છે.
કોરોના સંકટ દરમિયાન લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચન
દેશભરમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે ઑક્સીજન ખૂટી રહ્યું છે. સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે આવી કોઈ અછત નથી પરંતુ હોસ્પિટલોમાં પ્રાણવાયુ વગર પ્રાણ ગુમાવતાં લોકો કઇંક જુદું જ દ્રશ્ય સામે આવી રહ્યું છે. એવામાં DRDO દ્વારા SpO2 પ્રણાલી તૈયાર કરવામાં આવી છે જે મદદરૂપ સાબિત થઈ સકે છે.
ભારતમાં બીજી લહેર બની કહેર
ભારતમાં માર્ચ મહિનાથી સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ દિવસને દિવસે ખૂબ જ કથળી રહી છે અને જુદા જુદા રાજ્યોમાં હોસ્પિટલો અને સ્મશાનોમાં જગ્યા નથી. એવામાં દરરોજ કોરોના વાયરસની કેસની સંખ્યામાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં 20મી એપ્રિલ, 2021ના આંકડા અનુસાર 2,59,170 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 1,761 મોત થઈ છે. આ સિવાય એક દિવસમાં 1,54,761 લોકો સાજા થયા છે.