મ્યારમારમાં શનિવારનો દિવસ ખૂબ જ હિંસાત્મક રહ્યો. લોકતંત્રની માગ કરી રહેલા લોકો પર મ્યાનમાર સેનાએ અંધાધૂન ગોળીઓ વરસાવી જેમાં 50 લોકોના મોત નિપજ્યા છે.
મ્યાનરમાં ખૂની બન્યો શનિવાર
સેનાએ વિરોધ કરી રહેલા 50 નાગરિકોને વિંધી નાખ્યા
અત્યાર સુધીમાં 328 લોકોના મોત
જ્યારે આ ઘટના બની ત્યારે મ્યાનમાનની સેનાના જનરલ સશસ્ત્ર સેના દિવસની ઉજવણી કરી રહ્યા હતા.
યાંગૂનના ડાલા વિસ્તારમાં ચાલી ગોળી
Myanmar Nowના રિપોર્ટ પ્રમાણે, શનિવારે તડકે યાંગૂનના ડાલા ઉપનગરમાં એક પોલીસ સ્ટેશન બહાર લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન સેનાએ ભીડ પર ગોળીબાર કર્યો, જેમાં 50 લોકોના મોત થયાં હતા, તો 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા.
શહેરના ઇન્સેન જિલ્લામાં સ્થાનિક અન્ડર -21 ફૂટબોલ ટીમમાં રમનાર ખેલાડી સહિત ત્રણ લોકોની ગોળીબારમાં હત્યા કરવામાં આવી હતી. મ્યાનમાર નાઉ અનુસાર માંડલેમાં પોલીસ અને સૈન્યની ગોળીબારમાં 13 લોકો માર્યા ગયા હતા. ન્યુઝ પોર્ટલ મુજબ, મૃત્યુ અગાઉ મંડલે નજીકના સાગિંગ વિસ્તારમાં, અગાઉ યૈંગોન નજીક લાઇશીયો શહેર, અને અન્યત્ર થયું હતું.
ચૂંટણીના વાયદાનો જનરલે કર્યો ઉચ્ચાર
મ્યાનમાર નાઉએ કહ્યું કે શનિવારે સેના-પોલીસ ફાયરિંગમાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા. જો કે, જાનહાનિની સંખ્યા સ્વતંત્ર રીતે પુષ્ટી થઇ નથી. આ અગાઉ સૈન્યના સેનાપતિઓ સશસ્ત્ર સૈન્ય દિનની ઉજવણી કરવા માટે રાજધાની નાયપીટાવમાં એકઠા થયા હતા. કાર્યક્રમને સંબોધતા Senior General Min Aung Hlaing એ કોઈપણ સમય મર્યાદા વિના ચૂંટણી યોજવાના વચનને યાદ કર્યું હતું.
સીનિયર જનરલે લોકોને આપી ચેતવણી
સરકારી ટેલિવિઝન ચેનલ પર લોકોને સંબોધન કરતા સીનિયર જનરલ મિંગે કહ્યું, દેશમાં લોકતંત્રને બચાવવા માટે સેના સામાન્ય જનતાની સાથે કદમ મેળવીને ચાલી રહી છે. તેમણે પોતાના ભાષણાં એમ પણ ઉમેર્યું કે,સરકાર દેશમાં લોકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરશે. તો ચેતવણી પણ આપી હતી કે, પોતાની માગોને પુરી કરવા માટે હિંસા કરવામાં આવી રહી છે તે ખરેખર ખોટી બાબત છે.
અત્યાર સુધીમાં 328 લોકોના મોત
શનિવારે 50 મોત સાથે મ્યાનમારમાં અત્યાર સુધીમાં મરનાર લોકોની સંખ્યા વધીને 328 પર પહોંચી છે. મ્યાનમારના જનરલે 1 ફેબ્રુઆરીના રોજ સેન્યના હાથમાં સત્તા લીધી હતી. આ સાથે જ સ્ટેટ કાઉન્સિલર સૂ કી સહિત રાષ્ટ્રપતિ અને અન્ય બીજા નેતાઓની ધરપકડ કરીને અજ્ઞાત સ્થળે બંધ કરવામાં આવ્યા છે.