અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરના ઉંચાઈવાલા વિસ્તારમાં થયેલા એક હિમસ્ખલનની ઘટનામાં સેનાના જવાનો ચપેટમાં આવી ગયા છે. આ સાતેય જવાનો એક ગ્રુપમાં હતાં. ભારતીય સેનાએ સોમવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમની શોધખોળ અને બચાવ કામ ચાલું છે.
અરુણાચલમાં ઘટી મોટી દુર્ઘટના
હિમસ્ખલનમાં સેનાના જવાનો ફસાયા
સ્પેશિયલ ટીમોને બોલાવામાં આવી છે, રાહત અને બચાવ કામ ચાલું
અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરના ઉંચાઈવાલા વિસ્તારમાં થયેલા એક હિમસ્ખલનની ઘટનામાં સેનાના જવાનો ચપેટમાં આવી ગયા છે. આ સાતેય જવાનો એક ગ્રુપમાં હતાં. ભારતીય સેનાએ સોમવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમની શોધખોળ અને બચાવ કામ ચાલું છે. બચાવ અભિયાનમાં સ્પેશિયલ ટીમો એરલિફ્ટ કરવામાં આવી છે. આ વિસ્તારનાં છેલ્લા કેટલાય દિવસથી બરફવર્ષા થઈ રહી છે.
6 ફેબ્રુઆરીથી ત્યાં ફસાયેલા છે જવાનો
ભારતીય સેનાએ કહ્યું કે, તમામ જવાન છ ફેબ્રુઆરીથી ત્યાં ફસાયેલા છે. અરુણાચલ પ્રદેશ આમ તો પશ્ચિમમાં કામેંગ વિસ્તાર અને બાકીનો ભાગ વિભાજીત છે. આપને જણાવી દઈએ કે, ભારતીય સેનાના પૂર્વી છોડથી સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સહિત 1346 કિમી લાંબી કંટ્રોલ લાઈન પર સુરક્ષાની જવાબદારી છે. આ કમાનમાં ત્રણ કોર શામેલ છે. 33મી કોર સિક્કિમ, તોથી કોર કામેંગ સેક્ટર અને ત્રીજી કોર બાકીના અરુણાચલમાં સુરક્ષાની જવાબદારી સંભાળે છે.
જવાનોને હજૂ સુધી બચાવાયા નથી
એક અધિકારીના જણાવ્યા અનુસાર આ વિસ્તાર ચીનથી અડીને આવેલી સરહદ પાસે છે. આ જવાનોને હજૂ સુધી બચાવાયા નથી. રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનમેંટ કર્નલ હર્ષવર્ધન પાંડે જણાવ્યું છે કે ,આ ઘટનાના સમયે ટીમ હિમાલયની ઉંચાઈએ કામેંગ વિસ્તારમાં હતા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સરહદ પર ચીન સાથે ચાલી રહેલા ઘર્ષણ બાદ ભારતીય સેનાએ પણ અરુણચાલમાં સરહદ પર ટીમ સાથે રસ્તાઓ અને સુરંગો બનાવાના કામમાં તેજી આવી છે.
રવિવાર રાતે અહીં ભૂકંપ પણ આવ્યો હતો
અરુણાચલની સરહદ તિબ્બતથી અડીને આવેલી છે. આ વિસ્તારમાં સરકારના આદેશ બાદ સીમા સડક સંગઠન રસ્તાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, અરુણાચલ પ્રદેશમાં રવિવારે મોડી રાતે ભૂકંપના આકરા ઝટકા પણ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવયું હતું કે, રવિવારે રાતે લગભગ 10.59 કલાકે અરુણાચલ પ્રદેશના પાંગિન વિસ્તારમાં ભૂકંપના આકરા ઝટકા અનુભવ્યા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ હતી.