બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની વ્હારે આવ્યા આર્મીના જવાનો, કરાવ્યો ચા-નાસ્તો, જાણો વર્તમાન સ્થિતિ
Last Updated: 09:06 AM, 21 April 2025
જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતાં રામબનમાં ગુજરાતીઓ પ્રવાસીઓ ફસાયેલા છે ત્યારે, તમામ પ્રવાસીઓની સલામતીને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જરૂરી સૂચનાઓ આપી છે.. મુખ્યમંત્રી દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ગુજરાતના યાત્રિકોની સલામતીને લઇને જરૂરી તમામ પગલા લેવા માટે સૂચન કરાયું છે..
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાને કારણે બનેલ ભૂસ્ખલનની ઘટનામાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠાના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.
— CMO Gujarat (@CMOGuj) April 20, 2025
ગુજરાત…
ગુજરાત પોલીસ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સતત સંપર્કમાં છે. હાલ તમામ ગુજરાતી પ્રવાસીઓ સલામત હોવાનું જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે જમ્મૂ કશ્મીરમાં રામબનમાં ભૂસ્ખલન થતા 50 ગુજરાતીઓ ફસાયાની વિગતો સામે આવી છે. જેમાં બનાસકાંઠાના 20 અને ગાંધીનગરના 30 લોકો સામેલ છે.. ગઇકાલે બનાસકાંઠા કલેક્ટરે રામબનના કલેક્ટરનો સંપર્ક કર્યો હતો જે બાદ રામબનના કલેક્ટરે મદદ માટે એક ટીમ મોકલી હતી.
આ પણ વાંચોઃ ગરમીથી રાહતના અણસાર નહીં, દેશના અનેક રાજ્યોમાં હિટવેવનું એલર્ટ, જાણો કેવુ રહેશે ગુજરાતનું હવામાન
ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી હતી.. જેમાં તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.. તેમજ પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું.. .
મહત્વની વાત એ છે કે આર્મી પણ ફસાયેલા ગુજરાતી યાત્રિકોની મદદે આવી છે. આર્મીના જવાનોએ ફસાયેલા યાત્રિકોને ચા-નાસ્તો અને ભોજન કરાવ્યા હતા.
#WATCH | Jammu and Kashmir: Several buildings have been damaged due to a landslide following heavy rains and hailstorm in Ramban district pic.twitter.com/jx3MGycq4s
— ANI (@ANI) April 20, 2025
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.