શ્રીનગરઃ જમ્મૂ કાશ્મીરમાં LOC પાસે રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિગ કરાયું હતું. જે દરમિયાન પાકિસ્તાન દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં સેનાના મેજર સહિત બે જવાન શહીદ થયા છે અને બે જવાનો ઘાયલ થયા છે. બોર્ડર પાસે મેજર અને જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની રેન્જર્સની બોર્ડર એક્શન ટીમને હુમલો કર્યો છે.
સૂત્રોએ આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે બ્લાસ્ટમાં એક જેસીઓ સહિત બે જવાન ઇજાગ્રસ્ત થતયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના તરફથી થનાર IED બ્લાસ્ટ અને હુમલાઓને લઇને સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે.
Army PRO: Two Army personnel lost their lives in an IED blast in Naushera. More details awaited. #JammuandKashmir
પાકિસ્તાનની આ બેટ ફોર્સે 24 કલાકમાં બીજીવાર આ પ્રકારનો હુમલો કર્યો છે. આ પહેલા આ ફોર્સે કાશ્મીરના પુલવામા ભારતીય સેનાના કેમ્પ પર બોંબ વડે હુમલો કર્યો હતો. જો કે સદનસીબે તે સમયે કોઈ જાનહાની થઈ ન હતી. હાલ સેનાએ આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.