કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્લીમાં પત્રકાર પરીષદ દ્વારા પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી અડધા ઉપર પુરી થઇ ગઇ છે અને તે સ્પષ્ટ થઇ ગયું છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યાં છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ ચૂંટણીમાં ખેડૂત, રોજગાર તેમજ પીએમનો ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો છે અને ભાજપ આ ચૂંટણી હારી રહી છે.
દેશની સામે સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે. દેશ પીએમ મોદીને પુછી રહ્યું છે કે બે કરોડ રોજગારનું વચન કર્યું હતું, પરંતુ આજે દેશ 45 વર્ષની સૌથી ખરાબ સમયમાંથીપસાર થઇ રહ્યો છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદી રોજગારને લઇને કોઇ વાત કરતાં નથી, કારણ કે તેમની પાસે કોઇ પ્લાન નથી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યારે પીએમ મોદીને એમ લાગે છે કે તેઓ ચૂંટણી હારી રહ્યાં છે ત્યારે ક્યાંકને ક્યાંક કરવા લાગે છે. જેમ કે ગુજરાતમાં તેઓ સી-પ્લેન નિકાળીને લાવ્યાં હતા.
સર્જીકલ સ્ટ્રાઇકને લઇને રાહુલ ગાંધીએ પીએમ મોદીની નિંદા કરી. રાહુલ ગાંધીએ કહ્યું ભારતીય સેના નરેન્દ્ર મોદીની અંગત પ્રોપર્ટી નથી. રાહુલે કહ્યું કે મોદી એવું વિચારે છે કે સેના તેમની મિલકત છે. રાહુલ ગાંધીએ રાફેલને લઇને જણાવ્યું કે મે સુપ્રીમ કોર્ટમાં માફી માગી. સુપ્રીમ કોર્ટમાં રાફેલને લઇને કાર્યવાહી ચાલી રહી છે ત્યારે મારા દ્વારા કોમેન્ટ કરવામાં આવી તે મારી જગ્યા નથી. મારાથી ભૂલ થઇ મે માફી માગી. પરંતુ ચોકીદાર ચોર છે, તે હકીકત છે.