છોટાઉદેપુરના આર્મી જવાન જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન થયા શહીદ. આવતી કાલે પાર્થિવ દેહ માદરે વતન લવાશે
છોટાઉદેપુરના અલ્હાદપુરાનો જવાન શહીદ
ફરજ દરમિયાન ગાડી પલ્ટી જતા થયા હતા ઈજાગ્રસ્ત
સારવાર દરમિયાન થયું મૃત્યુ
દેશના વીર જવાનો મા ભોમની રક્ષા કરવા દરેક આપત્તિનો સામનો કરી લે છે. દિવસ હોય કે રાત તેઓ પોતાની ફરજ ક્યારેય ચૂકતા નથી. ત્યારે વધુ એક વીર જવાન ગુજરાતે ગુમાવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના વીર જવાન તુલસીભાઇ શહીદ થયા. જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન ગાડી પલટી જતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર અર્થે હોસ્પિટલ પણ લઇ જવાયા પરંતુ સારવાર દરમિયાને બ્રેઇન હેમરેજ થઇ જતા મોતને ભેટ્યા. આ સમાચાર મળતા જ પરિવારમાં તો શોકની લાગણી ફરી વળી છે. પરિવારજનોના આંસુ સુકાવાનું નામ નથી લઇ રહ્યા,.
દોઢ મહિનાની રજા બાદ ફરજમાં જોડાયા
છોટાઉદેપુર જિલ્લાના અલ્હાદપુર ગામના તેઓ રહેવાસી છે. તુલસીભાઇ આર્મીમાં 2001મા જોડાયા હતા. તેઓ પરિવારમાં એક માત્ર સંતાન હતા. તેમના પિતાનો એકનો એક પુત્ર આર્મીમાં જોડાતા પરિવાર સહિત ગામ વાસીઓમાં ગર્વની લાગણી હતી. રવિવારે સવારે જ્યારે આર્મી જવાન તુલસીભાઈ શહીદ થયાના સમાચાર આવ્યા ત્યારે ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર તુલસીભાઇ હજી તો ગત સપ્તાહે જ દોઢ મહિનાની રજા ભોગવાનીને ફરજ પર હાજર થયા હતા. નિવૃત્તિ નજીક હોવાથી કાગળો પણ તૈયાર થવા આવ્યા હતા.
પરિવાર દુઃખમાં ગરકાવ
સમાચાર સાંભળતા જ પત્ની અને ભાઇ શ્રીનગર જવા રવાના થઇ ગયા છે. એકનો એક દિકરો મોતને ભેટતા પરિવાર સહિત ગામમાં ભારે શોકની લાગણી ફરી વળી છે. મહત્વનુ છે કે તુલસીભાઇને બે બાળકો પણછે. તેઓના પાર્થિવદેહને આવતીકાલે વતન લવાશે.