શ્રીનગરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે જ્યારે અનેક જવાન ઇજાગ્રસ્ત થાય છે. ત્યારે હવે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં LoC નજીક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જે બ્લાસ્ટમાં સેનાના મેજર શહીદ થયા છે. પેટ્રોલીંગ પાર્ટી નજીક બ્લાસ્ટ થયો હતો.
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. ત્યારે રાજૌરીમાં શનિવાર બપોરના એલઓસી પાસે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં સેનાના એક જવાન શહીદ થયા છે. બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું.
મહત્વનું છે કે એક તરફ પુલવામામાં શહાદત આપનારા 40 લોકોને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે. આજે આ જવાનોનો પાર્થિવ દેહ પોતાના ઘર પહોંચી રહ્યા છે જ્યાં તેમને અંતિમ વિદાઇ આપવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર અને તપાસ એજન્સીઓ પુલવામા એટેકનો જવાબ આપવા માટે એક્શન પ્લાન તૈયાર કરી રહી છે.