દક્ષિણી કાશ્મીરના પૂલવામા જીલ્લા અંતર્ગત અવંતી પોરામાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ખતમ થઇ ગઈ છે. આ અથડામણમાં 40 દિવસ જૂના જૈશ-એ મહોમ્મદ આતંકી સંગઠનનો આતંકી ઠાર મરાયો છે. તેની ઓળખ જૈશ-એ-મહોમ્મદ આતંકી સંગઠનનાં સમીર અહેમદ તાંત્રે,રહેવાસી બારાગામ થઇ છે. તે ગત મહીને બીજી નવેમ્બરે જ આતંકી સંગઠનમાં શામેલ થયો હતો. સુરક્ષા જવાનોએ ફાયરીંગ પહેલા તેઓને આત્મ સમર્પણ કરવા ચેતવણી પણ આપી હતી. ઠાર મરાયેલો આતંકી સી કેટેગરીનો હતો
ત્રણ આતંકી ઘૂસ્યા હોવાની માહિતી
આ પૂર્વે જમ્મુ-કાશ્મીર પોલીસે અવંતી પોરાના બારાગામ વિસ્તારમાં આતંકીઓના છુપાયા હોવાની બાતમી મળી હતી. આ બાદ તુરંત જ પોલીસે સુરક્ષા કર્મીઓ સાથે મળીને વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. રવિવારે સવારે બારાગામમાં છૂપાયેલા આતંકીઓ સાથે સુરક્ષાજવાનો પર ફાયરીંગ શરુ કરી દીધું. સુરક્ષા જવાનોએ ફાયરીંગ પહેલા તેઓને આત્મ સમર્પણ કરવા ચેતવણી પણ આપી હતી. સુરક્ષા જવાનોએ પણ મોરચો સંભાળતા આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરી.હજુ સુધીમાં એક આતંકીને ઠાર મરાયો છે.
કાશ્મીરના આઈ જી વિજય કુમારે પણ એક આતંકી ઠાર મરાયો હોવાની વાતને પુષ્ટી આપી છે .આતંકીઓની સંખ્યા લગભગ ત્રણની કહેવાય છે.આસપાસના મકાનોમાં રહેતા લોકોને લાઉડ સ્પીકરથી ઘરની બહાર ના નીકળવા સૂચના પણ અપાઈ રહી છે.