જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં 5 જવાનો શહિદ થયા બાદ સેના હવે એકશન મોડમાં આવી ગઈ છે. જેમા આજે સેના દ્વારા કુલ 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
કાશ્મીરમાં સેના હવે એકશન મોડમાં
એકજ દિવસમાં 6 આંતકીઓને કર્યા ઠાર
30 કલાકમાં સેના અને આતંકીઓની 5 વખત અથડામણ
જમ્મુ કાશ્મીરમાં આતંકિઓ સામે સેના હવે એકશન મોડમાં આવી ગઈ છે. ગઈકાલે 5 જવાનો શહિદ થયા બાદ સેના દ્વારા આજે 6 આતંકિઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમાથ અમુક લોકોએ થોડાક દિવસો પહેલાદ સામાન્ય નાગરીકોની હત્યા કરી હતી. છેલ્લા 30 કલાકમાં સેના અને આંતકિઓ વચ્ચે 5 વખત અથડામણ થઈ ચુકી છે.
અનંતનાગ
આજે સવારે અનંતનાગમાં સેના દ્વારા એક આતંકીને મારવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટર વખતે એક પોલીસ કર્મી પણ ઘાયલ થયો છે. જોકે હજું ત્યા કેટલા આતંકીઓ છુપાયેલા છે તે વીશે કોઈ માહિતી સામે નથી આવી.
બાંદીપોરા
બાંદીપોરામાં પણ સેના દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમાં એક આંતકીને ઠાર કરવામાં આવ્યો છે. મૃતક આતંકીનું નામ ઈમ્તિયાજ અહમદ હોવાનું સામે આવ્યું છે. જે લશ્કર-એ તૈયબા સાથે જોડાયેલો હતો. આ આતંકીએ શાહગુંડમાં એક નિર્દોષ નાગરિકની હત્યા કરી હતી.
શોપિયાં
મોડી રાતે શોપિંયામાં સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમા ત્રણ આતંકીઓને સેનાએ ઠાર કર્યા છે. જેમના નામ દાનિશ અહમદ, યાવર અહમદ અને મખ્તાર અહમદ હોવાનું સામે આવ્યું છે. આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ સહિત AK-47 પણ મળી આવી છે. મુખ્તાર અહમદે ગંદરબાલમાં એક સામાન્ય નાગરીકની હત્યા કરી હતી. આ સિવાય ફેરી પોરામાં પણ સેના એક આતંકીને ઠાર કર્યો હોવાનું સામે આવ્યું છે.
5 જવાનો શહિદ થયા હતા
ઉલ્લેખનીય છે કે જમ્મુના પુંછ જિલ્લામાં આતંકીઓ સાથે સેનાની અથડામણ તઈ હતી ત્યારે તેમા 5 જવાનો શહિદ થયા હતા. જેમા પાંચ પૈકી 3 જવાનો પંજાબના હતા. જેથી પંજાબના મુખ્યમંત્રીએ શહિદોના પરિવારને 50 લાખની સહાય આપવાની વાત કરી હતી.
કાશ્મીરમાં સેનાએ 6 આતંકીઓને કર્યા ઠાર