આજે દેશભરમાં ગાંધીજીની જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે ગુજરાતના પંચમહાલમાં માજી સૈનિકોએ પોતાના હક્ક માટે આદોલન કરવું પડી રહ્યુ છે.
માજી સૈનિકોનું અનોખું આંદોલન
સીએમ રૂપાણીને મોકલ્યા પોસ્ટકાર્ડ
માજી સૈનિકોનું પોસ્ટકાર્ડ અભિયાન
પંચમહાલમાં ગાંધી જયંતિ નિમિતે માજી સૈનિકોનું અનોખું આંદોલન જોવા મળી રહ્યુ છે. સૈનિકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોસ્ટ કાર્ડ મોકલ્યા છે. સૈનિકોની માંગણી ન સ્વીકારતાપોસ્ટ કાર્ડ અભિયાન શરૂ કરાયું છે. ત્રણ હજારથી વધુ પોસ્ટ કાર્ડ પોસ્ટ કરાયા છે.
જલદ આંદોલનની ચીમકી આપવામાં આવી
શહીદ સૈનિક પરિવારને સરકાર માત્ર પાંચ લાખ રૂપિયા આપે છે. અન્ય રાજ્યમાં એક કરોડથી વધુની રકમ સહાયનો દાવો કરાઈ રહ્યો છે.
માજી સૈનિકો જમીન,પ્લોટ, નોકરી માટે દરદર ભટકી રહ્યા છે. માગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી આપવામાં આવી છે.