છેલ્લા 40થી વધુ દિવસોથી દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલું ખેડૂત આંદોલન હજુ સમાપ્ત થાય તેવી કોઈ શક્યતા હજુ નજીકના ભવિષ્યમાં દેખાતી નથી, સરકાર અને ખેડૂત આંદોલનકારીઓ વચ્ચેની છેલ્લી સાતમા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ નીવડી છે ત્યારે હવે બધાની નજર આગામી 8મી જાન્યુઆરીએ યોજાનાર 8માં રાઉન્ડની વાતચીત પર છે.
ખેડૂતોની મદદ માટે હવે સેનાનો જવાન આવી પહોંચ્યો
સિંઘુ બોર્ડર પર રહેલા ખેડૂતોને લંગરમાં જમાડે છે
મીડિયાને કહ્યું, નોકરીની ચિંતા નથી, પણ ખેડૂતોનું ધ્યાન રાખવું જોઈએ
છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી અને ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે અને દિલ્હીની બોર્ડર પર રહેલા ખેડૂતો હજુ પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓને સ્વીકારતી નથી ત્યાં સુધી તેઓ ત્યાંથી હટવા માટે તૈયાર નથી, આ જ સમયમાં ત્યાં હાજર રહેલા ખેડૂતોની સેવા માટે ભારતીય સેનાનો જવાન ત્યાં પહોંચી ગયો હતો.
લંગરની સેવામાં જમાડે છે જવાન
મીડિયા સાથેની વાતચીતમાં કૈથલમાં રહેવાવાળા જવાને જણાવ્યું હતું કે હિમવર્ષાને લઈને કાશ્મીરની ફલાઇટ રદ્દ થયા બાદ તે સિંઘુ બોર્ડર પર રહેલા ખેડૂતોની સેવા માટે ત્યાં આવ્યો છે, હાલમાં તે લંગરની સેવામાં રહેલા લોકોને જમાડે છે, આ જવાનને પૂછતા કે શું તેમની નોકરી પર કોઈ ખતરો આવશે તો શું કરશો? તો જવાબમાં જવાને જણાવ્યું હતું કે દેશની જેમ જ અહીંના ખેડૂત પણ અમારી જ જવાબદારી છે અને તેઓ દેશના અન્નદાતા છે અને જો સરકાર વધુ કહેશે તો હું નોકરી છોડી દઈશ, બાકી સરકારે ખેડૂત આંદોલનકારીઓની માંગણીઓનું ધ્યાન રાખવું જોઈએ.
ખેડૂતોએ આંદોલનને વધુ તીવ્ર કરવાની આપી ચેતવણી
બુધવારે આયોજિત ટ્રેકટર રેલી ખરાબ વાતાવરણને લઈને રદ્દ કરવામાં આવી હતી જો કે સરકારની સાથે ચાલી રહેલી સાતમા રાઉન્ડની વાતચીત પણ પરિણામ વગરની રહેતા હવે બધાની નજર આગામી આઠમા રાઉન્ડની વાતચીત પાર છે જે 8મી જાન્યુઆરીએ યોજાવા જઈ રહી છે. કિસાન યુનિયનના પ્રતિનિધિઓ તેમની જૂની માંગણી કૃષિ કાયદાઓને સમ્પૂર્ણ રદ્દ કરવાની માંગણીથી ઓછામાં કશાયમાં રાજી નથી અને સરકાર કાયદામાં સંશોધન વાળી વાતને જ આગળ વધારવા માંગે છે.
આ બધાની વચ્ચે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં છેલ્લા અમુક દિવસોથી તાપમાન માં ભારે ઘટાડો નોંધાયો છે, લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી જેટલું થઇ ગયું હતું જે છેલ્લા 15 વર્ષમાં જાન્યુઆરીમાં નોંધાયેલ સૌથી ઓછું તાપમાન છે. આ બધાની વચ્ચે ખેડૂતોએ હજુ પણ આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ચેતવણી આપી છે.
ખેડૂત પ્રદર્શનકારીઓનીથી જોડાયેલ અરજીઓની સુપ્રીમમાં 11મી એ સુનાવણી થશે
સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે ખેડૂતોના પ્રદર્શનમાં જમીની સ્તર પર કોઈ જ સુધારણા નહતી દેખાઈ રહી જો કે આના જવાબમાં કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો અને સરકારની વચ્ચે સૌહાર્દ્રપૂર્ણ વાતાવરણમાં વાતચીત ચાલુ છે અને અત્યારે આ અરજીઓના મુદ્દે જો કેન્દ્ર તરફ્થી કોઈ પ્રતિક્રિયા રજૂ કરવામાં આવે છે તો આ વાતચીતને અસર પહોંચી શકે છે, સોલોસીટર જનરલ તુષાર મેહતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને ખેડૂતોની વચ્ચે સૌહાર્દ્રપૂર્ણ વાતાવરણમાં વાતચીત શરુ છે અને આ અરજીઓ પર 8મી જાન્યુઆરીની પહેલા સુનાવણી ન થવી જોઈએ.