જમ્મુ કાશ્મીરના બારામૂલામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજે સવારે જ શરૂ થયેલી આ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં મોટી અથડામણ
ભારતી સેનાએ પાર પાડ્યું મોટુ ઓપરેશન
3 પાકિસ્તાની આતંકીઓ ઠાર કર્યા
જમ્મુ કાશ્મીરના બારામૂલામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજે સવારે જ શરૂ થયેલી આ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. ત્રણેય આતંકી પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી કરીને આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં એક પોલીસ જવાન શહીદ થઈ ગયા હતા.
આઈજીપી કશ્મીર વિજય કુમારે તેની જાણકારી આપતા કહ્યું કે, આ અથડામણમાં ત્રણ પાકિસ્તાની આતંકી માર્યા ગયા છે અને જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન પણ શહીદ થઈ ગયા છે.
આતંકી હુમલામાં કાલે પણ એક પોલીસ જવાન શહીદ થયા હતા
મંગળવારે જ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં સૌરા વિસ્તારમાં આતંકીઓએ પોલીસ કોન્સ્ટેંબલના ઘર બહાર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં કોન્સ્ટેબલ શહીદ થઈ ગયા હતા, જ્યારે તેમની સાત વર્ષિય દિકરી ઘાયલ થઈ ગઈ હતી. અધિકારીઓએ આ પ્રકારની જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, આતંકીઓએ કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી પર તે સમયે ગોળીબાર કર્યો હતો, જ્યારે તેઓ પોતાની દિકરીને ટ્યૂશને મુકવા માટે જતા હતા. કાદરી ત્રીજા એવા પોલીસકર્મી છે, જેમની આ જ મહિનામાં આતંકીઓએ હત્યા કરી નાખી છે.