દેશમાં આર્મી અને જવાનો પર ઘણી ફિલ્મો બનાવવામાં આવે છે. બોલીવુડ માટે એક મનપસંદ જોનર રહ્યું છે. પરંતુ આ વખતે આર્મી પર બનાવેલી એક ફિલ્મને સંરક્ષણ મંત્રાલયે પોતાની મંજૂરી આપવાની ના પાડી દીધી. આ ફિલ્મને NOC આપવામાં આવી નથી. ભાજપ નેતા વરૂણ ગાંધીએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેના સવાલ પર સંરક્ષણ મંત્રાલયે એક વિસ્તૃત જવાબ આપ્યો છે.
આર્મી પર બનાવેલી એક ફિલ્મને સંરક્ષણ મંત્રાલયે મંજૂરી ના આપી
ભાજપ નેતા વરૂણ ગાંધીએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો
NOC કેમ આપવામાં આવી નથી તેનો જવાબ મંત્રાલયે આપ્યો
આર્મીની ફિલ્મને NOC આપવામાં આવી નથી
આમ પણ જે ફિલ્મને NOC આપવામાં આવી નથી તે એક આર્મી ઓફિસરની કહાની છે, જેની કાશ્મીરી યુવકની સાથે રોમેન્ટીક રિલેશન રહે છે. સરળ શબ્દોમાં આ ફિલ્મ એક આર્મી અધિકારીને સમલૈંગિક બતાવે છે. પરંતુ આ ફિલ્મને સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપવાથી એટલા માટે ના પાડી છે. કારણકે તેની નજરમાં આવી ફિલ્મ ભારતીય સેનાને ખરાબ છબીમાં બતાવે છે. જવાબમાં આ વાત પર પણ ભાર આપવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં. સરકારનો આ નિર્ણય અનુચ્છેદ 14નું પણ ઉલ્લંઘન કરતો નથી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અમારો દરેક નિર્ણય દેશની સુરક્ષા, કાયદો વ્યવસ્થા, સેનાઓનું અનુશાસન, સેનાઓની પરંપરાને આધાર બનાવીને કરવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલય મુજબ, આ નિર્ણયથી અનુચ્છેદ 19નું પણ ઉલ્લંઘન થતુ નથી. કારણકે દરેક વ્યક્તિને બોલવાની આઝાદી ફરજીયાત આપવામાં આવી છે. પરંતુ અમુક પ્રતિબંધો પણ રહે છે.
ફિલ્મમાં સેનાની ખરાબ છબિને તો દર્શાવવામાં આવી નથી ને?
એવી માહિતી આપવામાં આવી છે કે કોઈની ફિલ્મને એટલા માટે NOC આપવામાં આવે છે કે જેનાથી આ કન્ફર્મ થઇ શકે કે સેનાની ખરાબ છબિને દેખાડવામાં ના આવે. દરેક તથ્યને સારી રીતે બતાવવામાં આવે છે. જેના પર પણ નજર રહે છે.