રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંક્યા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ શુક્રવારે ભારતીય સેના દિવસના પ્રસંગે સૈનિકોને શુભકામનાઓ આપી. આ પ્રસંગ પર રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે દેશ હંમેશા સાહસી તથા પ્રતિબદ્ધ સૈનિકો, સેનામાંથી નિવૃત્ત જવાનો અને તેમના પરિવારનો આભારી રહેશે.
એટલા માટે દર વર્ષે 15 જાન્યુઆરી સેના દિવસ મનાવવામાં આવે
ગત વર્ષ પડકાર ભર્યુ રહ્યું- ઉપરાષ્ટ્રપતિ એમ વૈંક્યા નાયડૂ
સશક્ત સાહસી અને સંકલ્પબદ્ધ સેના - પીએમ
ભારતીય સેનાના તમામ બહાદુર પુરુષો અને મહિલાઓને શુભેચ્છા - રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ કોવિંદે 73માં સેના દિવસ પર ટ્વીટ કર્યુ, સેના દિવસ પર ભારતીય સેનાના તમામ બહાદુર પુરુષો અને મહિલાઓને શુભેચ્છા. અમે એ બહાદુરોને યાદ કરીએ છીએ જેમણે રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપ્યુ. ભારત સાહસી તથા પ્રતિબદ્ધ સૈનિકો, સેવા નિવૃત્ત જવાનો અને તેમના પરિવારનો સદાય આભારી રહેશે.
On Army Day, greetings to the valiant men and women of the Indian Army.
We remember the bravehearts who made the supreme sacrifice in service to the nation.
India will remain forever grateful to courageous and committed soldiers, veterans and their families.
ગત વર્ષ પડકાર ભર્યુ રહ્યું- ઉપરાષ્ટ્રપતિ એમ વૈંક્યા નાયડૂ
ઉપરાષ્ટ્રપતિ એમ વૈંક્યા નાયડૂએ સૈનિકોના સાહસને સલામ કરી. તેમણે ટ્વીટ કર્યુ, ‘સેના દિવસના અવસર પર ભારતીય સેનાના અધિકારીઓ, સૈનિકો, પૂર્વ સૈનિકો તથા શુભકામનાઓ આપુ છું. અમર બલિદાની સૈનિકોની પુણ્ય સ્મૃતિને શતશઃ વંદન, તમારા પરિવારજનોના ધૈર્યને નમન કરુ છું. દેશની સીમાઓની રક્ષા હોય તે આફતમાં રાહત, રાષ્ટ્ર તમારા શૌર્ય અને સાહસ પર સદાય વિશ્વાસ કરે છે.
सेना दिवस के अवसर पर भारतीय सेना के अधिकारियों,सैनिकों,पूर्व सैनिकों को शुभकामनाएं देता हूं। अमर बलिदानी सैनिकों की पुण्य स्मृति को शतश: वंदन, आप के परिजनों के धैर्य को नमन करता हूं।देश की सीमाओं की रक्षा हो या आपदा राहत,राष्ट्र आपके शौर्य और साहस पर सदैव विश्वास करता है।#ArmyDaypic.twitter.com/COHbWS6ALp
ઉપરાષ્ટ્રપતિએ લખ્યુ કે વિતેલુ ગત વર્ષ પડકાર ભર્યુ રહ્યુ. મહામારી દરમિયાન પણ સેના, દુર્ગમ સીમાઓ પર સતર્ક પહેરેદાર બની રહી. મહામારીનો સામનો કરવામાં પણ અમારી સેના અને રક્ષા અનુસંધાન સંગઠન દ્વારા અભિનંદનીય યોગદાન રહ્યું છે. તેમણે લખ્યુ કે આપણી સશ્સ્ત્ર સેનાઓ માટે જરુરી ઉપકરણ ઉપલબ્ધ કરાવવા, તેમના અને તેમના પરિવારજનોનું સન્માન કરવું કૃતજ્ઞ રાષ્ટ્રની જવાબદારી છે. જય હિંદ.’
સશક્ત સાહસી અને સંકલ્પબદ્ધ સેના - પીએમ
ત્યારે પીએમ મોદીએ કહ્યું કે સશક્ત, સાહસી અને સંકલ્પબદ્ધ સેનાએ હંમેશા રાષ્ટ્રનું માથુ ગર્વથી ઉંચુ કર્યું છે. મોદીએ 73માં સેના દિવસના પ્રસંગ પર ટ્વીટ કરી કહ્યું, મા ભારતીની રક્ષામાં પળ પળ તૈનાતદેશના પરાક્રમી સૈનિકો અને તેમના પરિવારજનોને સેના દિવસની હાર્દિક શુભકામનાઓ. આપણી સેના સશક્ત, સાહસી અને સંકલ્પબદ્ધ છે, જેણે હંમેશા દેશનું માથું ગર્વથી ઉંચુ કર્યુ છે. સમસ્ત દેશવાસીઓ તરફથી ભારતીય સેનાને મારા નમન.’
मां भारती की रक्षा में पल-पल मुस्तैद देश के पराक्रमी सैनिकों और उनके परिजनों को सेना दिवस की हार्दिक बधाई। हमारी सेना सशक्त, साहसी और संकल्पबद्ध है, जिसने हमेशा देश का सिर गर्व से ऊंचा किया है। समस्त देशवासियों की ओर से भारतीय सेना को मेरा नमन।
સિંહે લખ્યું, સેના દિવસના પ્રસંગે ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારજનોને શુભકામનાઓ. રાષ્ટ્ર ભારતીય સેનાના અદમ્ય સાહસ, પરાક્રમ અને બલિદાનને સલામ કરે છે. ભારતને રાષ્ટ્ર પ્રત્યેના તેમની નિસ્વાર્થ સેવા પર ગર્વ છે.
Greetings to Indian Army personnel and their families on the occasion of Army Day. The nation salutes the Indian Army’s indomitable courage, valour and sacrifices. India is proud of their selfless service to the nation.
સેના દિવસના પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાપ જનરલ બિપિન રાવત, ચીફ ઓફ આર્મી સ્ટાફ મનોજ મુકુંદ નરવણેએ પણ સૈનિકોને શુભકામનાઓ આપી, ભારતીય સેનાના ટ્વીટર પરથી આજના પ્રસંગે લખવામાં આવ્યું, દરેક ભારતીય એ વાતનો ગર્વ કરે છે કે ભારતીય સેના શક્તિશાળી, આધુનિક, સર્વશ્રેષ્ઠ તથા ઉચ્ચ મનોબળ સાથે સદૈવ તૈયાર છે. અમારી દેશ પ્રત્યેની જવાબદારી અમારી પ્રેરણાનો અવિરત સ્ત્રોત છે.
કોંગ્રેસ- ભાજપે આપી શુભકામનાઓ
કોંગ્રેસે પણ આ પ્રસંગે સેનાના પરાક્રમ અન સાહસને સલામ કરી. એક ટ્વીટમાં કોંગ્રેસે કહ્યું, અમે ભારતીય સેના દિવસ નિમિત્તે અમે આપણા જવાનોની વીરતા અને નિસ્વાર્થતાને સલામ કરીએ છીએ અને સન્માન કરીએ છીએ જે જીવનને સંકટમાં મુકી આપણી સીમાઓને અને આપણને સુરક્ષિત રાખે છે. જય હિંદ
ભાજપે પણ ટ્વીટ કરી સૈનિકોને નમન કર્યા, ભાજપના સત્તાવાર ટ્વીટર અકાઉન્ટમાં લખવામાં આવ્યું કે યુદ્ધ, પ્રાકૃતિક આફતો અથવા કોઈ પણ માનવીય આહ્વાન દરમિયાન ભારતીય સેનાના પ્રત્યેક સૈનિકોની નિસ્વાર્થ સેવા અને દેશ માટે બલિદાન માટેની તેમના પ્રત્યે અનંત કૃતજ્ઞતા પ્રકટ કરે છે.
એટલા માટે દર વર્ષે 15 જાન્યુઆરી સેના દિવસ મનાવવામાં આવે છે
વર્ષ 1949માં આજના દિવસે ભારતે અંતિમ બ્રિટિશ કમાન્ડર ઈન ચીફ જનરલ ફ્રાંસિસ બુચરના સ્થાન પર તત્કાલીન લેફ્ટિનેન્ટ જનરલના એમ. કરિયપ્પા ભારતીય સેનાના કમાન્ડર ઈન ચીફ બન્યા હતા. એટલા માટે દર વર્ષે 15 જાન્યુઆરી સેના દિવસ મનાવવામાં આવે છે.