સરહદ પર વધી રહેલા વિવાદને લઈને સેના પ્રમુખ નરવણે 2 દિવસના લદ્દાખ પ્રવાસે જઈ રહ્યા છે. જ્યા તેઓ સૈનિકો સાથે મળીને દરેક પરિસ્થિતીનું નિરીક્ષણ કરવાના છે.
સેના પ્રમુખ નરવણે લદ્દાખના પ્રવાસે
2 દિવસ માટે તેઓ રહેશે લદ્દાખમાં
સૈનિકો સાથે મળીને પરિસ્થિતીનું કરશે નિરીક્ષણ
ભારત અને ચીન સાથેના વદી રહેલા સીમા વિવાદને લઈને ફરી એક ચોંકવનારી ખબર સામે આવી છે. ચીન LAC પર તેના સૈનિકોને વધારી રહ્યું છે તેવી માહિતી સામે આવી હતી. સાથેજ તે મોટા પ્રમાણમાં હથિયારો એકઠા કરી રહ્યું છે તેવી માહિતી પણ સામે. જેથી હવે આર્મી ચીફ એમએમ નરવણે 2 દિવસના લદ્દાખ પ્રવાસે જઈ રહ્યા છે.
સૈનિકો સાથે કરશે વાતચીત
ઠંડીની સીઝનના આગમન સાથેજ સેના પ્રમુખ લદ્દાખમાં જઈ રહ્યા છે. જેથી તેમની આ યાત્રા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. અધિકારીઓએ આપેલી માહિતી પ્રમામે આ સમયગાળામાં આર્મી ચીફ સૌથી અઘરાલ વિસ્તારમાં જઈને ત્યાની સ્થિતી અને ત્યાના સૈનિકો સાથે વાતચીત કરવાના છે.
એક વર્ષથી સરહદ પર વિવાદ યથાવત
આપને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા એક વર્ષથી લદ્ધાખની સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો આ વિવાદને ઓછો કરવા ઘણા પ્રયાસો કર્યા છે. ભારત અને ચીન વચ્ચે હાલજ થોડાક સમય પહેલા 12મી બેઠક યોજાઈ હતી. બંને દેશો વચ્ચે હજું પણ હોટ સ્પ્રિંગ ફ્રિકશનને લઈને સમાધાન નથી થયું.
અગાઉ 12 જુલાઈએ બેઠક થઈ હતી
એવું મનાવમાં આવી રહ્યું છે સમગ્ર મામલે 13મી બેઠક થવાની સંભવના છે. બંને દેશો વચ્ચે આ બેઠકને લઈને સહમતી પણ થઈ ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સીમા વિવાદને લઈને આ મહિને બેઠક થઈ શકે છે. અગાઉ 12 જુલાઈએ બંને દેશો વચ્ચે 12મી વખત બેઠક થઈ થઈ હતી.
હોટ સ્પિન્ગ ચીન સાથેના વિવાદનું અંતિમ ક્ષેત્ર
પેંગોન્ગ લેક અને ગોગરા હાઈટ્સ પાસે વિવાદ ઘણા હદે વાતચીત દ્વારા સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. હોટ સ્પ્રિન્ગ ચીન સાથેના વિવાદનું અંતિમ ક્ષેત્ર છે. જેના પર બંને દેશો વચ્ચે સહમતી થવાવી હજું બાકી છે. આ એજ વિસ્તાર છે. જ્યા ચીને 2020માં યથાસ્થિતી બદલાવનો પ્રયાસ કર્યો હતો.
સરહદ પર બંને દેશના 50 હજાર સૈનિક તૈનાત
અગાઉ દેપસાંગ પ્લેન્સ અને ડેમચૌક પણ વિવાદીત રહ્યા છે. જે વિસ્તાર 2020 પહેલાથી વિવાદમાં છે. આપને જણાવી દીએ કે ભારત અને ચીને સરહદ પર પોતાના 50 હજાર સૈનિકોને ઉચાંઈ વાળા વિસ્તાર પર તૈનાત કર્યા છે.
ચીન સરહદ પર સૈનિકો વધારતું જાય છે
ઉલ્લેખનીય છે વધતાો જતો વિવાદ બંને દેશો સમાપ્ત થાય તેવી ઈચ્છા રાખી રહ્યા છે. સાથેજ વાતચીત કર્યા પછી બંને દેશો પોતાના સૈનિકોની સંખ્યા સરહદ પર ઓછી કરી રહ્યા છે. પરંતુ વારંવાર ચીન તેના સૈનિકોનવે સરહદ પર વધારતું જાય છે. જેના કારણે આ સમગ્ર વિવાદ વધતો જઈ રહ્યો છે.