ચીન સાથેના સરહદી વિવાદને લઈને સેના પ્રમુખ નરવણેએ મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે કહ્યું કે જ્યા સુદી ચીન સાથે સમજૂતી નથી થતી ત્યા સુધી સરહદ પર વિવાદ યથાવત રહેશે.
સેના પ્રમુખ નરવણેએ આપ્યું મોટું નિવેદન
ચીન સાથેના વિવાદને લઈને આપ્યું નિવેદન
કહ્યું જ્યા સુધી સમજૂતી નહી થાય ત્યા સુધી વિવાદ યથાવત રહેશે
સેનાપ્રમુખ નરવણેએ આજે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સીમા પર વિવાદ ત્યા સુધી રહેશે જ્યા સુધી બંને દેશો વચ્ચે સમજૂતી નથી થતી. સેના પ્રમુખે આજે પીએડી ચેંબર ઓફ કોમર્સ ઈન્સ્ટ્રીની સભાને સંબોધ આપતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં થઈ રહેલી ગતિવિધી ઉપર પણ ભારતીય સેના નજર રાખીને બેઠું છે.
અફઘાનિસ્તાનની સ્થિતી પર ભારતની રણનિતી તૈયાર
સમગ્ર મામલે સેના પ્રમુખે એવું નિવેદન પણ આપ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને અમારી સેના રણનિતી તૈયાર કરી રહી છે. ચીન પર ચર્ચા કરતા તેમણે કહ્યું કે ચીન સાથે સરહદ પર હાલમાં વિવાદ યથાવત છે. સાથેજ તેમણે કહ્યું કે તેઓ ગમે કે સેના ગમે તે પરિસ્થિતીનો સામનો કરવા પણ તૈયાર છે.
સમજૂતી નહી થાય ત્યા સુધી વિવાદ યથાવચત રહેશે
વધુમાં સેના પ્રમુખ નરવણે કહ્યું કે આ સરહદી વિવાદ ત્યા સધી રહેશે જ્યા સુધી સમગ્ર મામલે સમજૂતી નથી. બંને દેશો સરહદ પર શાતી રાખવા માટે મજબૂત પ્રયાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન મુદ્દે તેમણે કહ્યું કે ભારતીય સેના દરેક ક્ષણે ત્યા નજર રાખી રહી છે. જો ભવિષ્યમાં કોઈ ખતરો ઉભો થાય તો તેની સામે લડવા સેનાએ રણનિતી તૈયાર કરી લીધી છે.
ભારતીય સેના દરેક પડકારનો સામનો કરવા તૈયાર
તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવી લીધો છે જે મામલે ચિંતા કરતા તેમણે કહ્યું કે ભારતે 20 સપ્ટેમ્બરે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ભૂમી પર આતંકિ કૃત્યો ન થવા જોઈએ. સેના પ્રમુખે આતંકવાદ મુદ્દે કહ્યું કે તે એક ગંભીર પ્રશ્ન છે. પરંતુ ભારતીય સેના દરેક પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે.
ગલવાન ઘાટીમાં થયેલી હિંસા બાદ વિવાદ વધ્યો
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે મે મહિનામાં અણબનાવ બન્યો હતો. ત્યારથી બંને દેશની સેનાએ સરહદ પર તેમના સૈનિકોને મોટા પ્રમાણમાં હથિયારો સાથે તૈનાત કરી દીધા છે.ગત વર્ષે જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં જે હિંસા થઈ હતી. ત્યારબાદ વિવાદ વધી ગયો છે. આપને જણાવી દઈએ કે ગલવાન ઘાટીમાં જે હિંસા થઈ હતી તેમા ભારતના 20 જવાનો શહીદ થયા હતા.