ભારત અને ચીન વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ તણાવ હવે ખુબ જ વધ્યો છે. સોમવારની રાત્રીએ ગલવાન ઘાટીની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઇ. આ હિંસક અથડામણમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થઇ ગયા. ભારતીય સેનાએ આને લઇને સત્તાવાર નિવેદન આપ્યું છે. ત્યારે હવે આર્મીચીફ નરવણે રક્ષામંત્રી સાથે મુલાકાત કરી હતી.
રાજનાથસિંહના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક
ચીન-ભારત વિવાદ પર થઇ વાતચીત
આર્મીચીફ, CDS બિપિન રાવત અને વિદેશ મંત્રીએ કરી હતી બેઠક
ભારત અને ચીન વચ્ચે તણાવ કેટલાક દિવસોથી ચાલી રહી છે જે આજે પોતાના ચરમ પર પહોંચી ગયા છે. બોર્ડર પર તણાવને જોતા બન્ને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ મુદ્દાને ઉકેલવા માટે વાતચીત કરી રહ્યા છે. ત્યારે આજે રાજનાથસિંહે હિંસક અથડામણને લઇને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.
આર્મીચીફ મનોજ મુકુંદ નરવણે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને CDS (Chief of Defence Staff) બિપિન રાવતની રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચીન-ભારત વિવાદ પર ચર્ચા કરી હતી.
Delhi: External Affairs Minister S Jaishankar, Chief of Defence Staff (CDS) General Bipin Rawat and Army Chief General MM Naravane leave from the residence of Defence Minister Rajnath Singh. This is the second successive review meeting in a day. pic.twitter.com/SwO8QLTy0H
એલએસી પર થયેલી હિંસક અથડામણ પર પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વિક્રમ સિંહે કહ્યું કે, ખોટું બોલવું ચીનના ડીએનએમાં છે. ચીન પર ભરોસો ન કરવો જોઇએ. તેમણે કહ્યું કે આ મુદ્દાનું સમાધાન આટલું જલદી નહીં થાય. જનરલ સિંહે કહ્યું કે, એલએસી પર દરેક જગ્યાએ સૈનિકોની તૈનાતી કરી દેવામાં આવી છે. સેના આંખોમાં આંખો નાખીને વાત કરી રહી છે.