સેના પ્રમુખ જનરલ મનોજ મુકંદ નરવણેએ કહ્યું કે, 1971ના યુદ્ધ સમયમાં માત્ર 11 વર્ષનો હતો. એટલા માટે યુદ્ધમાં નહોતો. આમ પણ હું કોઈનાથી લડતો નથી. પરંતુ ભવિષ્યમાં જો યુદ્ધ થયું તો ત્રણેય ભારતીય સેના 1971 જેવા હાલ કરી દેશે.
હું કોઈ સાથે લડતો નથી, પર યુદ્ધ થયું તો ત્રણેય સેના 1971 જેવા હાલ કરશેઃ સેના પ્રમુખ
1971નું યુદ્ધ ટેસ્ટથી વનડેમાં બદલાઈ ગયું હતું, હવે તો ટી-20 થાય છેઃ મનોજ મુકુંદ નરવણે
ભારતીય સેના હવે ટેક્નોલૉજી ઓરિયન્ટ સેના છે, આપણા દેશના લોકોનો જુસ્સો ઉંચો છેઃ મનોજ મુકુંદ નરવણે
જનરલ નરવણેએ ખાનગી ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં જનરલ નરવણેએ કહ્યું કે, 1971ના યુદ્ધના સમયમાં મારા પિતાજી દિલ્હીમાં તૈનાત હતા. અમે વસંત બિહારમાં રહેતા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે, યુદ્ધની તૈયારી કરો. અમે બારીઓ પર કાળા કાગળ લગાવ્યા હતા. જ્યારે સાયરન વાગતું તો તેઓ જરૂરી આદેશોનું પાલન કરતા હતા. અમે પણ ચેક કરનારી ટીમમાં સામેલ થઇને એ જોતા હતા કોઈ આદેશનું પાલન કરી રહ્યા છે કે નહીં. ડંડો લઇને દરેક દરવાજાઓ ખટખટાવતા હતા અથવા ચેક કરતા હતા. ત્યારે એ નહોતું વિચાર્યું કે હું સેનાધ્યક્ષ બનીશ.
9 વર્ષ બાદ સેનામાં સામેલ થયો, ત્યારે ખબર બડી કે આપણે તો લિવિંગ હિસ્ટ્રી જીવી રહ્યા છીએ
જનરલ નરવણેએ કહ્યું કે, 1971ના 9 વર્ષ બાદ હું સેનામાં સામેલ થયો. સેકન્ડ લેફ્ટિનેન્ટ બન્યો. ભરતી બાદ સૈનિકો અને યંગ ઑફિસર્સને એક ડાઇઝેસ્ટ વાંચવા આપવામાં આવે છે. મેં પણ વાંચી. તેમાં 1971ના યુદ્ધ અંગે અનેક પાના હતા. એક વાત સ્પષ્ટ સમજાઇ કે માર્ચ-એપ્રિલ 1971થી જ સૌને ખબર હતી કે યુદ્ધ થવાનું છે. તૈયારીઓ કેવી ચાલી રહી છે. ટ્રેનિંગ પર જોર આપવામાં આવી રહ્યું હતું. તે ડાઇજેસ્ટમાં બધુ લખેલું છે. તે પાનાથી એવું લાગી રહ્યું હતું કે હવે શું થવાનું છે. તે ઑફિસર્સના નામ હતા જે તે લડાઈમાં ભાગ હતા. તેમની કહાનીઓ હતી. તે જ્યારે અમે વાંચતા હતા તો અમને લાગતું હતું કે અમે તે લડાઈનો ભાગ હતા. અમારી સાથે તો લિવિંગ હિસ્ટ્રી હતી.
1971નું યુદ્ધ ટેસ્ટથી વનડેમાં બદલાઈ ગયું હતું, હવે તો ટી-20 થાય છે
આપણી ત્રણેય સેનાઓ સાથે મળીને 1971માં જીત મેળવી હતી. અમે સૌ એક સાથે હતા. સિનર્જી પૂર્ણ હતી. એટલા માટે આપણે શાનદાર જીત મેળવી. જો ક્યારે ભવિષ્યમાં યુદ્ધ થયું તો આપણી ત્રણેય સેનાઓ મળીને આ પ્રકારની જીત મેળવશે. 1971ને 50 વર્ષ થઇ ગયા. આટલા વર્ષમાં કેટલાક ફેરફાર આવ્યા છે. પહેલાના યુદ્ધ અને હવેના યુદ્ધમાં અંતર આવ્યું છે. હવે યુદ્ધ ટેસ્ટ મેચ જેવા નથી રહ્યા, આ ટી-20 થઇ ગયા છે. તે સમયે પહેલાથી તૈયારી કરવાનો મોકો મળતો હતો, પરંતુ હવે તૈયારી માટે મોકો નહીં મળે. આપણે હંમેશા તૈયાર રહેવું પડશે.
ભારતીય સેના હવે ટેક્નોલૉજી ઓરિયન્ટ સેના છે, આપણા દેશના લોકોનો જુસ્સો ઉંચો છે
અમે ટેક્ટિક્સ, ટેક્નીક અને પ્રોસેજરમાં ફેરફાર લાવવું પડશે. છેલ્લા 50 વર્ષમાં ટેક્નોલૉજી બહુ વધી ગઇ છે. મોટા પ્રમાણમાં ફોઝમાં આવી ગઇ છે. આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે જેથી આપણે સફળ થઇ શકીએ. હું હજું નોટ્સ મોબાઈલ પઢી રહ્યો છૂં. પહેલા ચાર-પાંચ પાના લઇને વાંચતો હતો. ટેક્નોલોજી ઓરિએન્ટેડ સેના છે આપણી.