વા વર્ષ પર નવા આર્મી ચીફ જનરલ મનોજ મુકંદ નરવાણે આજે નેશનલ વૉર પહોંચ્યા. જ્યાં આર્મી ચીફે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન સેના પ્રમુખે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. સેનાના જવાનોએ સેના પ્રમુખને ગાર્ડ ઓફ ઓનર આપ્યું.
નવા સેના પ્રમુખ પહોંચ્યા નેશનલ વોર મેમોરિયલ
જનરલ નરવાણેએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
સેનાના જવાનોએ સેના પ્રમુખને આપ્યું ગાર્ડ ઓફ ઓનર
સેના અધ્યક્ષ મુકંદ નરવણેએ પદભાર સંભાળ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. સરહદ પર તમામ ગતિવિધિઓ પર અમારી નજર છે. અમે ભવિષ્યના પડકાર માટે તૈયાર છીએ.
સેના અધ્યક્ષે કહ્યું કે સરહદ સલામત હશે તો જ દેશનો વિકાસ થશે. સેનાની ત્રણેય પાંખ કોઇપણ પડકારનો સામનો કરવા તૈયાર છે. મનોજ મુકંદ નરવાણેએ કહ્યું આજથી નવા દાયકાની શરૂઆત થઇ રહી છે આશા છે કે ભારતના વિકાસનો દાયકો રહેશે. તેમણે કહ્યું કે કોઇપણ દેશના વિકાસ માટે તેની સરહદ સુરક્ષિત રહેવી જરૂરી છે.
પહેલાં લેફ્ટનન્ટ જનરલ નરવણે ઈસ્ટર્ન કમાન્ડના પ્રમુખ હતા
મનોજ મુકુંદ નરવણે પણ હાલ સુધી આર્મીના ઉપ પ્રમુખ હતા. આર્મી ચીફ બનતાં જ તે દુનિયાની સૌથી તાકતવર સેનાઓમાં સામેલ 13 લાખ સૈનિકોના નેતા બન્યા છે. આર્મીના વાઈસ ચીફ બનતાં પહેલાં લેફ્ટનન્ટ જનરલ નરવણે ઈસ્ટર્ન કમાન્ડના પ્રમુખ હતા. ઈસ્ટર્ન કમાન્ડ ભારત - ચીનની 4000 કિલોમીટર લાંબી સીમાની દેખરેખ કરતી હતી.
લાંબા અનુભવ લઈને આવ્યા નવા સેના પ્રમુખ
એમએમ વરવણેની પાસે સેનામાં કામ કરવાનો ઘણો લાંબો અનુભવ છે. તેઓ જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદની વિરુદ્ધમાં અભિયાનનું નેતૃત્વ કરી ચૂક્યા છે. ડિફેન્સ કોરિડોરમાં એમએમ નરવણેને ચીનના કેસમાં એક્સપર્ટ માનવામાં આવે છે.
આ જગ્યાઓએ સંભાળ્યો છે પદભાર
જનરલ નરવણેનું કમિશન જૂન 1980માં 7મી શીખ લાઈટ ઈન્ફેંટ્રી રેજિમેન્ટ થયું હતું. નરવણે જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓ પર કહેર બનીને તૂટનારા રાષ્ટ્રીય રાઈફલ્સની એક ટુકડીની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ પૂર્વોત્તરમાં એક ઈન્સ્પેક્ટર જનરલની રીતે આસામ રાઈફલ્સના ઈન્સ્પેક્ટર જનરલ પણ રહ્યા છે. આ સિવાય અંબાલાના ખડગ સ્ટ્રાઈક કોર્પ્સમાં પણ તેઓએ તેમની સેવાઓ આપી છે.