ધારા-370 પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલમાં ફરી વણસેલા જોવા મળ્યાં છે. આ સંબંધની અસર ભારત અને પાકિસ્તાનની સરહદ પર પણ જોવા મળી. એક મળતાં અહેવાલ મુજબ પાકિસ્તાન સરહદ પર પોતાની સેનાનો જમાવડો કરી રહ્યું છે.
ભારતીય સેના પાકિસ્તાનને જવાબ આપવા એલર્ટ
કાશ્મીરના લોકો સાથે વાતચીત સામાન્ય
કાશ્મીરીઓની સાથે બંદૂક વગર જ મળીશું
સરહદ પર દખલ સહન નહીં કરે ભારત
જ્યારે લદ્દાખ નજીકના પોતાના એરબેઝમાં લડાખૂ વિમાનની તૈયારીઓ કરી રહ્યું છે. જો કે પાકિસ્તાન સેના તરફથી કરવામાં આવી રહેલી તૈયારીને લઇને ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે નિવેદન આપ્યું છે કે ભારતીય સેના પણ એલર્ટ છે.
જો તેઓ સરહદ પર આવવા ઇચ્છે છે તો તે તેમના પર નિર્ભર છે. પાકિસ્તાનની સેના જડબાતોડ જવાબ મળશે. જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિ પર સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે કાશ્મીરના લોકો સાથે અમારી વાતચીત પહેલા જેવી સામાન્ય છે. અમે તેમની સાથે રાઇફલ વગર મળતાં હતા અને આશા છે કે અમે તેમને બંદૂક વગર જ મળીશું.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના એક પત્રકારે દાવો કર્યો હતો કે ભારે હથિયારથી સજ્જ પાકિસ્તાનની સેના લાઇન ઓફ કંટ્રોલ (LoC) તરફ આગળ વધી રહી છે. પાકિસ્તાનના પત્રકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પોતાના મિત્રોને જણાવ્યું હતું કે પાકિસ્તાનની સેના LoC પર આગળ વધી રહી છે.
Army chief General Bipin Rawat: If the adversary wants to activate the LoC, that's his choice. Everybody does precautionary deployment, we should not get too concerned about it. As far as the Army and other services are concerned, we have to be always prepared. pic.twitter.com/lwKv8A4x7P
તેણે જણાવ્યું હતું કે પીઓકેમાં લોકો પાકિસ્તાનની સેનાનું સ્વાગત કરી રહી છે. જો કે આ અંગે પાકિસ્તાનની સરકાર તરફથી આ અંગે કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી કે ભારત સરકાર તરફથી પણ કોઇ આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.