ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની મુલાકાત રદ થઈ છે. જે બાદ બંને દેશોના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે નિવેદનબાજી થઈ રહી છે. હવે આ મુદ્દે બંને દેશની સેનાએ પણ ઝંપલાવ્યું છે. ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપીન રાવતે આ મુલાકાત રદ થતા તેનું સ્વાગત કર્યું.
તો પાકિસ્તાનની સેનાએ પણ આ મામલે ધમકીભરી પ્રતિક્રિયા આપી હતી. જનરલ બિપીન રાવતના નિવદેન પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાની સેનાના પ્રવતા મેજર આશિફ ગફૂરે કહ્યું કે અમે એક પરમાણુ સંપન્ન દેશ છીએ અને હંમેશા યુદ્ધ માટે તૈયાર રહીએ છીએ. યુદ્ધ ત્યારે થાય છે કે જ્યારે એક પક્ષ તૈયાર ન હોય. પાકિસ્તાનની શાંતિ વાર્તા માટેની અપીલને નબળી ન સમજવવી જોઈએ.
I don't want to comment on political issues. But I'll like to say that we're getting full cooperation. We're given freedom on how to carry out our operations. And you can see its effect in Kashmir & North-east:Army Chief on being asked about Army being used in political campaigns pic.twitter.com/rZpzYPg03S
ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રીની મુલાકાત રદ થવાને કારણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક નિવેદન આપેલ ત્યારબાદ રાવતે કહ્યું હતું કે મારૂં માનવું છે કે અમારી સરકારની નીતિ એકદમ સ્પષ્ટ છે. પાકિસ્તાન માટે જરૂરી છે કે તેઓ આંતકવાદને રોકવામાં આવે.
I think our govt's policy has been quite clear & concise. We've made no bones about the fact that talks&terrorism can't go hand in hand. Pakistan needs to curb menace of terrorism:Army Chief General Bipin Rawat on Pak PM's reaction to India calls off meeting b/w Foreign Ministers pic.twitter.com/iyxnzrxtoQ
જો કે ત્યારબાદ પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આતંકવાદી અને પાકિસ્તાની સેનાની બર્બરતાનો બદલો લેવા માટે ભારતે કડક કાર્યવાહી કરવી જોઇએ. આ નિવેદન બાદ પાક.ની સેનાના વડાએ જણાવેલ કે અમે પણ યૂધ્ધ માટે તૈયાર રહીએ છીએ.