ભારત તરફથી આવનારા ન્યૂક્લિયર મિસાઈલોને ટ્રેક કરવા તેમને દુશ્મનની ધરતી પર ખતમ થનારા આઈએનએસ ધ્રુવ આજે લોન્ચ થવા જઈ રહ્યું છે.
ડીઆરડીઓ તથા એનટીઆરના સહયોગથી બનાવી રહ્યા છે જહાજ
ભારતીય નૌસેનાનામાં પહેલું ન્યૂક્લિયર મિસાઈલ ટ્રેકિંગ જહાજ પણ સામેલ થશે
આ તાકાત મેળવનાર ભારત છઠ્ઠો દેશ
ભારતીય નૌસેનાનામાં પહેલું ન્યૂક્લિયર મિસાઈલ ટ્રેકિંગ જહાજ પણ સામેલ થશે
આજે આઈએનએસ ધ્રુવની સાથે ભારતીય નૌસેનાનામાં પહેલું ન્યૂક્લિયર મિસાઈલ ટ્રેકિંગ જહાજ પણ સામેલ થઈ જશે. આ જહાજને ખાસ કરીને ચીન અને પાકિસ્તાન પર ધ્યાન રાખવા માટે તૈનાત કરવામાં આવશે. કેમ કે બન્ને દેશો ન્યૂક્લિયર મિસાઈલ લાદવાની ક્ષમતા ધરાવે છે. એક વાર આઈએનએસ ઘ્રુવ સમુદ્રમાં ઉતરી ગયો તો દુશ્મન આવું કરવાની ભૂલ નહીં કરી શકે.
ડીઆરડીઓ તથા એનટીઆરના સહયોગથી બનાવી રહ્યા છે જહાજ
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને રાષ્ટ્રીય ટેક્નોલોજી અનુસંધાન સંગઠન (એનટીઆરઓ)ના સહયોગથી હિંદુસ્તાન શિપયાર્ડ દ્વારા જહાજને બનાવવામાં આવ્યું છે. આ જહાજમાં નૌસેનાની સામરિક દળ કમાન દ્વારા સંચાલિત કરવામાં આવશે. લોચિંગ સમારોહમાં નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ તથા એનટીઆરઓના અધ્યક્ષ અનિલ દાસમાન પણ હાજર રહેશે.
આ તાકાત મેળવનાર ભારત છઠ્ઠો દેશ
ન્યૂક્લિયર મિસાઈલ ટ્રેકિંગ જહાજને આપણી નૌસેનામાં સામેલ કરનાર ભારત છઠ્ઠો દેશ બનશે. આ પહેલા ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, રશિયા તથા ચીનની પાસે આ ક્ષમતા છે. આ જહાજ ન ફક્ત દુશ્મનની પરમાણું મિસાઈલને ટ્રેક કરશે બલ્કિ દુશ્મનના સેટેલાઈટને શોધવા પણ સક્ષમ છે.
10 હજાર ટનનું છે જહાજ
આઈએનએસ ધ્રુવનું વજન લગભગ 10 હજાર ટન છે. આનાથી લાંબા અંતરના રડાર, ટ્રેનિંગ એન્ટીના, એડવાન્સ ઈલેક્ટ્રોનિક સિસ્ટમથી લેસ કરવામાં આવ્યા છે. આ જહાજની તૈનાતી એવા સમયે થવા જઈ રહી છે જ્યારે ચીન તરફથી હિંદ મહાસાગરમાં હલચલ વધી ગઈ છે અને એક ઓબ્જર્વેશન મિશન ચાલી રહ્યું છે.