યુએનમાં યુએનએસસીની બેઠકમાં ભારતીય રાજદૂત રુચિરા કમ્બોજે આર્મેનિયા અને અઝરબૈજાન સરહદને કાયમી શાંતિપૂર્ણ સમાધાન પર લાવવા માટે રાજદ્વારી માર્ગો અપનાવવા જણાવ્યું છે.
અજરબૈજાન-આર્મેનિયાનાના મુદ્દે ભારતે આપી પ્રતીક્રીયા
યુએનમાં ભારતીય કાયમી પ્રતિનિધિ કંબોજે ઉઠાવ્યા સવાલો
હવે વૈશ્વિક વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય કાયદામાં સામેલ કરવી જોઈએ
અઝરબૈજાનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને મીડિયા અહેવાલ આપ્યો હતો કે આર્મેનિયા સાથેની સરહદ પર આ અઠવાડિયે અથડામણ દરમિયાન અઝરબૈજાનના 71 સૈનિકો માર્યા ગયા હતા. જો કે કહેવામાં આવી રહ્યું છે કે 2020થી અત્યાર સુધીમાં 100 સૈનિકો માર્યા ગયા છે. ભારતે યુએનએસસીમાં આ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો છે અને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે હવે વૈશ્વિક વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય કાયદામાં સામેલ કરવી જોઈએ. યુએનમાં યુએનએસસીની બેઠકમાં ભારતીય રાજદૂત રુચિરા કમ્બોજે આર્મેનિયા અને અઝરબૈજાન સરહદને કાયમી શાંતિપૂર્ણ સમાધાન પર લાવવા માટે રાજદ્વારી માર્ગો અપનાવવા જણાવ્યું છે.
ભારતે કહ્યું- અમારી વિનંતી છે કે વિવાદનો ઉકેલ વાતચીતથી લાવવામાં આવે
આર્મેનિયા અને અઝરબૈજાન સરહદ પર હિંસાની તાજેતરની ઘટનાઓ પર યુએનએસસીની ઇમરજન્સી બ્રીફિંગમાં બોલતા, યુએનમાં ભારતીય કાયમી પ્રતિનિધિ કંબોજે જણાવ્યું હતું કે, "અમારી સતત વિનંતી છે કે આવા વિવાદોને કુટનીતિ અને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. કોઈપણ સંઘર્ષનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ લાવી શકાય છે, તેનો ઉકેલ લશ્કરી કે હિંસક રીતે આવતો નથી. અમે બંને પક્ષોને સ્થાયી શાંતિપૂર્ણ સમાધાન પર પહોંચવા માટે રાજદ્વારી માધ્યમો અપનાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.
બંને દેશો વચ્ચે ચાલી રહેલો વિવાદ ગંભીર છે.
ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે, આંતરરાષ્ટ્રીય કાયદા, પ્રાદેશિક અખંડતા અને સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય દેશોની સંપ્રભુતાના સંદર્ભમાં વૈશ્વિક વ્યવસ્થા સ્થાપિત થવી જોઈએ. રુચિરા કંબોજે કહ્યું કે, હવે યુએનએસસીની અનૌપચારિક ચર્ચામાં આ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. ખાસ કરીને આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેની સરહદ પર સ્થિતિ તંગ છે. તેમણે જણાવ્યું હતું કે, "2020 માં નાગોર્નો કારાબાખમાં હિંસક વિવાદ હજી પણ અમારા મનમાં તાજો છે, જ્યારે આર્મેનિયા-અઝરબૈજાન સરહદ પર હુમલાઓ થયા હતા, જેમાં નાગરિક વસાહતો અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે." અત્યારે બંને દેશો વચ્ચે તાજેતરના અહેવાલો ઊંડી ચિંતાનો વિષય છે." તેમણે બંને દેશોને દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવા અને સંયમ જાળવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, આ પગલાંથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો છે. "
અઝરબૈજાનના 71 અને આર્મેનિયાના 105 સૈનિકો માર્યા ગયા
અલ જઝીરાએ અહેવાલ આપ્યો હતો કે તાજેતરમાં ઉશ્કેરાયેલા અઝરબૈજાને જણાવ્યું હતું કે આ અઠવાડિયે આર્મેનિયા સાથેની સરહદી અથડામણ દરમિયાન તેના 71 સૈનિકો માર્યા ગયા હતા. આર્મેનિયાએ કહ્યું છે કે, આ હિંસામાં તેના 105 સૈનિકો માર્યા ગયા હતા, જેના માટે બંને પક્ષો એકબીજા પર દોષારોપણ કરે છે, એમ મીડિયા પોર્ટલે જણાવ્યું હતું.
અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ કેમ છે?
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેનો વિવાદ નાગોર્નો-કારાબાખ વિસ્તારને લઇને છે. નાગોર્નો-કારાબાખ વિસ્તાર બંને દેશોની સરહદની નજીક છે. આ વિસ્તાર અઝરબૈજાનમાં આવેલો છે, પરંતુ હાલમાં આર્મેનિયાની સેનાનો કબજો છે. લગભગ 4000 ચોરસ કિલોમીટરનો આખો વિસ્તાર પર્વતીય છે, જ્યાં તણાવની સ્થિતિ છે. આ ક્ષેત્ર ઈરાન અને તુર્કીની પણ નજીક છે. બંને દેશો એક સમયે સોવિયત યુનિયન (USSR)નો ભાગ હતા. સોવિયત સંઘનું પતન શરૂ થયું ત્યારે બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો હતો. 1991માં બંને દેશો વચ્ચે યુદ્ધ થયું હતું.
બન્ને વચ્ચે આજ સુધી ઘણા યુધ્યો થયા
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 1991થી અત્યાર સુધીમાં અનેક યુદ્ધો થયા છે. ત્રણ વર્ષના સંઘર્ષ બાદ રશિયાએ દરમિયાનગીરી કરી હતી. રશિયાની આ પહેલ બાદ 1994માં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે આ પછી પણ મુકાબલાની સ્થિતિ હંમેશા યથાવત રહી હતી. આ પછી 2018માં ફરી એકવાર બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. બંને દેશોએ પોતાની સરહદો પર સૈનિકો વધારવાનું શરૂ કર્યું. બાદમાં, આર્મેનિયાના એ વિસ્તારમાં જ્યાં અઝરબૈજાન પર આક્રમણ કર્યું હતું ત્યાં રશિયન શાંતિરક્ષક દળો તૈનાત કરવામાં આવ્યા છે.
મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ ચાલે છે
બંને દેશો વચ્ચે ટકરાવનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ ઉઠાવવામાં આવ્યો છે. આ મામલો સૌ પ્રથમ 1993માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગયો હતો. ત્યારે આ કેસમાં ચાર દરખાસ્તો પણ પસાર કરવામાં આવી હતી. જો કે હજુ સુધી તેમની એક પણ દરખાસ્તનો અમલ થઇ શકે તેમ નથી.