અર્જુન પર પાછળની સીઝન બધાની નજર હતી, પરંતુ અર્જુન તે સીઝન IPLમાં એકપણ મુકાબલો રમી શક્યો ન હતો. આટલું જ નહી, ચોટીલ હોવાને કારણે તેમણે IPL 2021 દરમિયાન સ્કવોડથી બહાર પણ થવું પડ્યું હતું.
IPL 2022, Mega Auction
અર્જુનને ખરીદવા માટે ગુજરાત ટાઈટન્સે પણ બોલી લગાવી હતી, પરંતુ બાજી તો મુંબઈ ઇન્ડિયન્સના નામ જ થઇ. મુંબઈ ઇન્ડિયન્સે અર્જુન તેંદુલકરને 30 લાખમાં ખરીદ્યો છે.
👀 Arjun pe nishaana tha! 🏹
Btw, we won't be nice next time, @mipaltan. #Nehraji really likes left-arm seamers 😉
ગયા વર્ષ પણ અર્જુન તેંદુલકરની બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી. ત્યારે મુંબઈ ઇન્ડિયન્સે આ ક્રિકેટરને પોતાની સાથે તે જ પ્રાઈઝ પર ટીમ સાથે જોડ્યો હતો, પરંતુ આ વર્ષે મુંબઈએ 10 લાખ રૂપિયા વધારે ખર્ચ કરી આ પ્લેયરને પોતાની ટીમમાં શામેલ કર્યો છે.
અર્જુન પર ગયી સીઝન બધાની નજર ટકેલી હતી, પરંતુ તે ગયી સીઝન IPLમાં એકપણ મુકાબલો રમી શક્યો નહિ. આટલું જ નહિ, ચોટીલ હોવાને કારણે તેમણે IPL દરમિયાન સ્કવોડમાંથી બહાર પણ થવું પડ્યું હતું. 22 વર્ષના અર્જુને ગયા વર્ષે મુશ્તાક અલી ટુર્નામેન્ટના માધ્યમથી પોતાનું T20 ડેબ્યૂ કર્યો હતો. તે દરમિયાન અર્જુન બે મુકાબલાઓમાં ખાસ કઈ વિકેટ લઇ શક્યો ન હતો.
અર્જુન તેંદુલકરના પિતા સચિન તેંદુલકરનો મુંબઈ ઇન્ડિયન્સ સ્સાથે ખાસ નાતો રહ્યો છે. સચિન તેંદુલકર 2008-13 દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય સદસ્ય રહ્યા છે. તેંદુલકરે મુંબઈ ઇન્ડિયન્સ માટે 78 IPL મુકાબલાઓમાં 2334 રન બનાવ્યા હતા. કેપ્ટન તરીકે ઓરેંજ કેપ મેળવવાવાળા સચિન તેંદુલકર પહેલા ખેલાડી હતા. 2010ની IPLમાં તેમણે આ કારનામું કર્યું હતું.
IPL નીલામી પહેલા મુંબઈ ઇન્ડિયન્સે ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ તથા સુર્યકુમારને રિટેન કર્યા હતા. જ્યારે, કેરેબિયાઈ ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડ વિદેશી ખેલાડી તરીકે ટીમ સાથે જોડાઈ રહ્યા.