અર્જુન તેન્ડુલકરે પોતાની ઈનિંગમાં 31 બોલમાં 77 નોટઆઉટ રન બનાવ્યા હતા જ્યારે 41 રન આપીને 3 વિકેટ પણ ઝડપી હતી. અર્જુનનાં આ ઓલરાઉન્ડર પર્ફોર્મન્સને લીધે એમઆઈજી ક્રિકેટ ક્લબે ઈસ્લામ જીમખાનાને 194 રનોની કારમી હાર આપી હતી.
લોકડાઉન બાદ મુંબઈમાં પ્રથમ ટૂર્નામેન્ટ
આ ટૂર્નામેન્ટ મુંબઈ ક્રિકેટ એસોસિયેશન તરફથી યોજવામં આવે છે અને કોરોના વાયરસને લીધે લોકડાઉન બાદ આ શહેરની પ્રથમ ક્રિકેટ પ્રતિયોગિતા છે. 21 વર્ષનાં અર્જુને આ ટૂર્નામેન્ટમાં શાનદાર ઇનિંગ રમી હતી જેમાં તેણે 5 ચોકા અને 8 છક્કા લગાવ્યા હતા. તેણે ઓફ સ્પિનર હાશિર દાફેદારની એક ઓવરમાં 5 છક્કા ફટકાર્યા હતા.
આ મેચમાં અર્જુનનાં શાનદાર પ્રદર્શન સાથે સલામી બેટ્સમેન કેવિન ડીએલમેડાએ 96 અને ચોથા નંબરનાં બેટ્સમેન પ્રજ્ઞેશ ખાંડિલેવાર 112 રન કરીને જીત મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ટોસ જીતીને બેટીંગ કરવા ઉતરેલી એમઆઈજીએ 45 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 385 રન ખડક્યા હતા. જેનાં જવાબમાં ઈસ્લામ જિમખાનાની ટીમ 41.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી.
અર્જુને આઈપીએલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું
અર્જૂને હાલમાંજ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમીને મુંબઈની સિનિયર ટીમમાં પ્રવેશ કર્યો હતો. તેણે 18 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં યોજાનાર આઈપીએલની હરાજી માટે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અર્જુનને 20 લાખથી ઓછી રકમનાં પ્લેયરનાં જૂથમાં સમાવેશ મળ્યો છે. અર્જુનનાં આ લેટેસ્ટ પર્ફોર્મન્સને લીધે તેને આઈપીએલ હરાજીમાં ફાયદો થઈ શકે તેમ છે.