મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર લાંબા સમયથી મોટા પ્લેટફોર્મ પર પોતાનુ હુનર બતાવવા માટે આતુર છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ, રણજી ટ્રોફીમાં વેઈટીંગ લિસ્ટમાં રહ્યાં બાદ અર્જુન તેંડુલકરે હવે એક મોટો નિર્ણય કર્યો છે.
અર્જુન હવે મુંબઈ નહીં, પરંતુ ગોવાની ટીમ તરફથી રમશે. અર્જુન તેંડુલકર તરફથી મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસે એક એનઓસીની માંગ કરવામાં આવી છે, ત્યારબાદ તેઓ પોતાનુ ટ્રાન્સફર કરાવવા માંગે છે. જો આમ થાય છે તો આગામી રણજી સિઝનમાં અર્જુન તેંડુલકર ગોવા તરફથી રમતા જોવા મળશે.
22 વર્ષના અર્જુન તેંડુલકરને ગત સિઝનમાં મુંબઈની સીનિયર ટીમે રણજી ટ્રોફી માટે પસંદ કર્યો હતો. પરંતુ તેમને રમવાની તક ના મળી. મુંબઈમાં એકથી વધીને એક ખેલાડી છે, એવામાં યુવાન અર્જુનને તક મળવી મુશ્કેલ થઇ રહી છે. ગોવા ક્રિકેટ એસોસિએશન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે એક વખત અર્જુન તેંડુલકરને એનઓસી મળી જાય છે તો તેનો ફિટનેસ ટેસ્ટ થશે. પાસ થતા તેમને ગોવા તરફથી રમવાની મંજૂરી મળી શકે છે.
પરંતુ શું અર્જુન તેંડુલકર માટે આ નિર્ણય યોગ્ય સાબિત થશે? અર્જુન તેંડુલકર દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર છે, એવામાં તેમની પર નામનુ દબાણ ખૂબ વધારે છે, દરેક ક્રિકેટ પ્રેમી તેની પાસેથી સારા પ્રદર્શનની આશા રાખે છે, પરંતુ આ સાથે એવુ પણ પ્રદર્શિત થતુ નથી કે માત્ર સચિનના પુત્ર હોવાના કારણે તેમની પસંદગી થઇ રહી છે. આ જ કારણ છે કે મુંબઈથી અલગ હટીને અર્જુન જો ગોવા તરફથી રમે છે તો તેમની પાસે પોતાની ઓળખ બનાવવાની તક હશે. રણજી ટ્રોફીથી અલગ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે, જો કે, બે સિઝનથી તેઓ પોતાના ડેબ્યુની રાહ જોઇ રહ્યાં છે.