અર્જુન તેંડુલકરે ભલે આઈપીએલમાં અત્યાર સુધી કોઈ મેચ ના રમી હોય. પરંતુ તેની ફેન ફૉલોઈંગ કોઈ સ્ટાર પ્લેયરથી ઓછી નથી. મુંબઈના દરેક મેચ પહેલા માહોલ બને છે. પ્લેઈંગ ઈલેવનમાં જુનિયર તેંડુલકરનું નામ તપાસવામાં આવે છે.
IPLની 13મી મેચ બાદ અર્જુન તેંડુલકરને તક મળી નથી
અંતિમ મેચમાં IPL ડેબ્યુ કરશે અર્જુન તેંડુલકર
કેપ્ટન રોહિત શર્માએ કર્યો ઈશારો
IPLની અંતિમ મેચમાં અર્જુન તેંડુલકર કરશે ડેબ્યુ
પરંતુ સિઝનની 13મી મેચ બાદ પણ આ યુવાન ઓલરાઉન્ડરને તક મળી નથી. ટુર્નામેન્ટમાં પહેલેથી જ પ્લેઑફની જંગમાંથી બહાર થઇ ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની હવે માત્ર એક મેચ બાકી છે, એવામાં પૂરેપૂરી શક્યતા છે કે 21મેના દિવસે દિલ્હી સામે અર્જુન પોતાની આઈપીએલ ડેબ્યુ કરી શકશે. મંગળવારે સનરાઈઝર્સ હૈદ્રાબાદની સામે ટોસ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માનુ નિવેદન તો આ તરફ ઈશારો કરે છે. રોહિતે તેની પ્લેઈંગ ઈલેવન પર કહ્યું કે અમે બે ફેરફાર કર્યા છે. ઋત્વિક શોકીન, કુમાર કાર્તિકેયના બદલે મયંક માર્કંડે અને સંજય યાદવની એન્ટ્રી થઇ છે. અમે આ પ્રયોગ આગામી સિઝન માટે કરવા માંગીએ છીએ. નવા વર્ષ માટે ખેલાડી પરખવા માંગે છે.
MI પ્રશંસકોની છાવણીમાં ઉત્સાહ વધી ગયો
મહત્વપૂર્ણ છે કે કોર ગ્રુપ રમો. અમે પોતાની મુંબઈ ટીમના અમુક પહેલુઓને રાખવા માંગીએ છીએ. MI પ્રશંસકોની છાવણીમાં ઉત્સાહ ત્યારે વધી ગયો જ્યારે તેમણે કહ્યું, ત્યારબાદ અમારી પાસે વધુ એક મેચ છે અને અમે આ મેચમાં વધુ લોકોને અજમાવી શકીએ છીએ. એવામાં હવે સોશિયલ મીડિયામાં ચર્ચા થઇ રહી છે કે રોહિતનો ઈશારો અર્જુન તેંડુલકર તરફ તો નથી ને. પહેલાની સિઝનમાં ટીમમાં સામેલ કરવામાં આવેલા અર્જુન ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે.
Rohit Sharma said after winning toss against Sunrisers Hyderabad in #IPL MI will try a few more guys in the final game of the season against Delhi Capitals. A signal that Arjun Tendulkar will make his #IPL debut?