ટીમ ઇન્ડિયાની અંડર 19 ટીમનો શ્રીલંકા પ્રવાસ મંગળવારથી શરૂ થઇ ગયો છે. ટીમ ઇન્ડિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનો પુત્ર પણ આ સીરિઝમાં હાજરી આપી રહ્યો છે. એવામા પ્રશંસકોની નજર સૌથી વધારે અર્જુન પર જ ટકેલી છે.
ખાસ વાત એ છે કે અર્જુન તેંડુલકરે પોતાની ઇન્ટરનેશનલ કરિયરની પહેલી વિકેટ પણ આ સીરિઝમાં પ્રાપ્ત કરી છે. અર્જુનની બીજી ઓવરના છેલ્લા બોલ પર શ્રીલંકાના કામિલ મિસારા થાપ ખઇ ગયા. અર્જુનનો બોલ બેટ્સમેનના પેડની અંદરની તરફ વાગ્યો અને એ એલબીડબ્લ્યૂ કરાર આપવામાં આવ્યો.
અર્જુન તેંડુલકરની આ પહેલી સફળતા પર એને સોષિયલ મીડિયા પર જોરદાર શુભેચ્છા મળી રહી છે. એમાં સૌથી ખાસ સંદેશ સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ લખ્યો છે. વિનોદ કાંબલીએ ટ્વિટર પર લખ્યું 'મેદાન પર અર્જુનની હાજરી જોઇને મારી આંખમાંથી આંસુ આવી ગયા. તારી આ સફળતાથી મને ખૂબ જ ખુશી મળી છે. આ તો માત્ર શરૂઆથ છે. હું ઇશ્વરને તારા સફળ ભવિષ્યની પ્રાર્થા કરું છું.'