મહારાષ્ટ્રની રાજનીતિને લઇ અભિનેતા અર્જુન રામપાલે નિવેદન આપ્યું. ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં અભિનેતા અર્જૂન રામપાલે હાજરી આપી હતી. ત્યારે આ દરમિયાન અર્જૂન રામપાલે મહારાષ્ટ્રની રાજનીતિને લઈ કહ્યું કે ફિલ્મોમાં પણ આવો અંત નથી હોતો. અને ફિલ્મોમાં પણ આ પ્રકારનું સસ્પેન્સ નથી હોતું.
મહારાષ્ટ્રની રાજનીતિને લઇ અર્જુન રામપાલનું નિવેદન
ફિલ્મમાં પણ આવો અંત નથી હોતોઃ અર્જુન રામપાલ
ફિલ્મોમાં પણ આ પ્રકારનું સસ્પેન્સ નથી હોતું: અર્જુન રામપાલ
નોંધનીય છે કે, બોલીવુડના અભિનેતા અર્જુન રામપાલ આજરોજ ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં અભિનેતાએ હાજરી આપી હતી, આ દરમિયાન મહારાષ્ટ્રમાં બનેલી ઘટનાને લઇને નિવેદન આપ્યું આપ્યું હતું.
મહારાષ્ટ્રમાં મોટા રાજકીય ભૂકંપ
આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં શનિવારની સવારે ભારતીય રાજનીતિનો સૌથી મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો. શનિવારે સવારે બીજેપી અને NCPએ સાથે મળીને સરકાર બનાવી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદના શપથ અપાવ્યા છે તો અન્ય તરફ NCPના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં સવારે 5:47મિનિટે રાષ્ટ્રપતિ શાસન હટ્યું.
શનિવારે સવારે મહારાષ્ટ્રની રાજનીતિની તસવીર બદલાઈ
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની બેઠકમાં મુખ્યમંત્રીના નામને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવા તૈયાર છે. આ પહેલાં પણ ત્રણ પાર્ટીની બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ શરદ પવારે કહ્યું હતું કે જ્યાં સુધી મુખ્યમંત્રીની વાત છે તેમાં કોઈ બેમત નથી. ઉદ્ધવ ઠાકરેને લઈને સરકારને લીડ કરવી જોઈએ. શનિવારે સવારે મહારાષ્ટ્રની રાજનીતીની તસવીર બદલાઈ ગઈ છે.