ડ્રગ્સ કનેક્શનને લઇને બોલિવૂડ સિતારાઓ પર NCBની નજર તેજ બનતી જઇ રહી છે. ત્યારે હાલમાં અર્જુન રામપાલ એનસીબીની ઓફિસ પહોંચ્યા છે, તેમની સાથે પૂછપરછ થઇ રહી છે. અર્જુનના ઘરે પડેલા દરોડામાં એનસીબીને બૅન દવાઓ મળી આવી હતી. જેના કારણે અર્જુનની તકલીફો વધી છે.
NCBના સકંજામાં અર્જુનનો મિત્ર
બીજી તરફ એનસીબીએ મૂળ ઓસ્ટ્રેલિયન આર્કિટેક્ટ પૉલ બાર્ટલની સુશાંત સિંહ રાજપૂત કેસમાં ધરપકડ કરી છે. અર્જુનની લિવ-ઇન પાર્ટનર ગેબ્રિઅલનો ભાઇ છે અને અર્જુન સાથે તેના સારા સંબંધો છે. સૂત્રો અનુસાર અર્જુન અને પૉલને સામસામે બેસાડીને પૂછપરછ કરી શકાય છે.
બુધવારની રાત્રે એનસીબીએ પોલના બાન્દ્રા સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા પરંતુ ઘરમાંથી કોઇ પણ પ્રકારની ચીજ મળી આવી ન હતી. એનસીબીએ પોલની પણ 9 કલાક સુધી પૂછપરછ કરી અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
કેવી રીતે આવ્યુ અર્જુનનું નામ
અર્જુનનું નામ આ કેસમાં તેની લિવ-ઇન પાર્ટનરના કારણે સામે આવ્યું હતુ. ગેબ્રિઅલનો ભાઇ છે, જેના કારણે અર્જુનનું નામ આવ્યું છે.