અભિનેતા અર્જુન રામપાલ અને એની પત્ની મેહરે 20 વર્ષના લગ્ન બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે. છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે ના બનતું હોવાનું જાણવા મળી રહ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે બંનેનું અલગ થવાનું કારણ ઋત્વિક રોશનની એક્સ પત્ની સુઝેન ખાનને માનવામાં આવે છે. થોડાક દિવસો અગાઉ માહિતી મળી હતી કે સંબંધમાં આવેલી કડવાશના કારણે અર્જુન પોતાનું ઘર પણ છોડી ચુક્યો છે.
એક રિપોર્ટ્સ પ્રમાણે અર્જુન રામપાલ અને એની પત્ની મેહરે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય કર્યો છે. બંને લગ્નના સંબંધને પૂર્ણ કરવાનો નિર્ણય સંભળાવતા નિવેદન આપ્યું કે 20 વર્ષના આ અતિસુંદર સફર પર પૂર્ણવિરામ મૂકવાનો સમય આવી ગયો છે. અમે બંને સારા મિત્રો રહીશું. અને જ્યારે એકબીજાને જરૂર પડશે તો સાથ પણ આપીશું. અર્જુન અને મેહરે 1998માં લગ્ન કર્યા હતા. એમની દીકરીઓનું નામ મહિકા અને માયરા છે.
જણાવી દઇએ કે સુઝાન અર્જુન અને મેહર પહેલા ખૂબ જ સારા મિત્રો હતા. કહેવામાં આવે છે કે સુઝાન અને અર્જુનનું નજીક આવવાનું વધી ગયું હતું ત્યારબાદ અર્જુન અને મેહરના સંબંધમાં દરાર આવી હતી.