ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે પાર્ટીના પીઢ નેતા અર્જુન મોઢવાડિયાના નામની જાહેરાત થઈ શકે છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયાનું નામ નક્કી : સૂત્ર
આવતીકાલે સત્તાવાર રીતે થઈ શકે જાહેરાત
ભરતસિંહ સોલંકી પહોંચ્યા છે દિલ્હી
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ હાલ દિલ્હી છે અને હાઈકમાન્ડ સાથે ગુજરાતના સંગઠનમાં ધરખમ ફેરફારને લઈને મંથન કરી રહ્યા છે. ત્યારે સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, અર્જુન મોઢવાડિયાને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવી શકે છે. તેમના નામ અંગેની ભલામણ ખૂદ ભરતસિંહે કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
આવતીકાલે થઈ શકે છે જાહેરાત
આપને જણાવી દઇએ કે, અર્જુન મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતા છે અને આ પહેલા પણ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય પદ શોભાવી ચૂક્યા છે. આ સાથે જ તેમણે 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી સંભાળી છે, ત્યારે આવતીકાલે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અર્જૂન મોઢવાડિયાના નામની સત્ત
ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસે કમર કસી
નોંધનીય છે કે, ગુજરાત સહિત દેશના 6 રાજ્યોમાં આગામી એકથી દોઢ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એમાંય ગુજરાત અને ઉત્તરપ્રદેશ દેશના રાજકારણમાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્યો છે ત્યારે દિલ્હીમાં અત્યારથી જ ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીઓમાં દોડધામ વધી ગઈ છે. ભાજપ અત્યારે પહેલા ઉત્તરપ્રદેશ પર ફોકસ કરી રહ્યું છે જ્યારે કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં પહેલા સંગઠન મજબૂત કરવા માટે કામે લાગ્યું છે.
ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થશે
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડમાં ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે, છેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આ રાજીનામાં પડ્યા હોવા છતાં આટલા સમયથી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. આ સિવાય ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધનથી પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને તેમની જગ્યા પર સંગઠનને મજબૂત કરવા માટે નવા કયા ચહેરાને મૂકવામાં આવે તેના પર વિચાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ માટે બે જૂથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભરતસિંહ સોલંકી પહોંચ્યા છે દિલ્હી
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ માટે ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયાનું જૂથ દાવેદારી કરી રહ્યું છે આમ ગુજરાતના ટોચના નેતાઓ પ્રમુખ બનવા માટે દાવેદારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એવામાં ભરતસિંહ સોલંકીએ દિલ્હી પહોંચીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.