ભાજપને ચૂંટણી સમયે મળેલ ફંડ ને લઈ વિવાદ સામે આવ્યો છે. ભાજપને જે કંપની પાસેથી 10 કરોડ રૂપિયા ફંડ મળ્યું હતું તે આરકેબી કંપની સામે ટેરર ફન્ડિંગ મામલે ઇડી તપાસ ચાલે છે. આ જ બાબતબે લઈ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા એ જણાવ્યું હતું કે જે કંપની ટેરર ફન્ડિંગ સાથે સંકળાયેલ છે તે કંપની પાસેથી ભાજપે ફંડ મેળવ્યું છે
મુંબઇ ની આર કે બી બિલ્ડર્સ કંપનીએ ઇકબાલ મિર્ચી ની જમીનો ખરીદેલી છે. જેની સામે ઇડી તપાસ પણ ચાલી રહી છે. આ કંપની પાસેથી ભાજપે 10 કરોડ જ્યારે દર્શન ડેવલોપર્સ 7.50 અને સનબ્લીગ કે જે ઇકબાલ મિર્ચી ની કંપની છે તેની પાસેથી 2 કરોડ ફંડ મેળવ્યું છે. કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે જે કંપનીના માલિકો બૉમ્બ બ્લાસ્ટ માં સામેલ છે , જેમણે દેશ સાથે ગદ્દારી કરનાર કંપનીઓ પાસેથી નાણાકીય લાભ મેળવ્યા, આ મામલે વડાપ્રધાને જાતે જ ખુલાસો કરવો જોઈએ તેવી માંગ સાથે મોઢવાડિયા એ ભાજપ કેટલી હદ સુધી દેશના હિતો સાથે કોમ્પ્રોમાઇઝ કરી શકે એનો આ પુરાવો છે એવું પણ જણાવ્યું હતું..