પોરબંદરમાં મગફળી ગોડાઉનમાં જનતા રેડ થતાં વધુ એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. મગફળીમાં માટીની ભેળસેળ કેવી રીતે થઈ રહી હતી તેના જીવતા પુરાવા મળી આવ્યા છે. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ સ્થાનિકો સાથે મળીને જનતા રેડ પાડતા ગોડાઉનની અંદર મગફળીના ખુલ્લા ઢગલા મળી આવ્યા. આ સાથે જ માટીની ભેળસેળ વાળી મગફળી પણ ઝડપાઈ આવી હતી.
અહીં મગફળીમાં માટીની સાથે-સાથે ભૂકાનું પણ મિશ્રણ કરવામાં આવતું હતું. ગોડાઉનમાં મોટી સંખ્યામાં બટાઈ ગયેલી મગફળી પણ મળી આવી છે. જે બેદરકારીના કારણે વરસાદમાં પલળી ગઈ હતી. Vtvના કેમેરામાં ઝડપાયેલા દ્રશ્યો જ સાબિત કરે છે કે કેવી રીતે કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે જેતપુરમાં મગફળી કૌભાંડ ઝડપાયા પછી પણ હજુ કૌભાંડીઓ કૌભાંડ કરતા અચકાતા નથી. જેના જીવીત પુરાવા આજ રોજ પોરબંદરના મગફળી ગોડાઉનમાં જોવા મળ્યા હતી.
સૌથી મહત્વની બાબત એ છે કે અહીં ગોડાઉનમાં મેઈન ગેટ પર મોટું તાડું લગાવેલું હતું. જ્યારે પાછળનો ગેટ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યાંથી જ આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યો હતો.
મહત્વનું છે કે જ્યારે અર્જૂન મોઢવાડિયા જનતા રેડ પાડવા માટે પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. જેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે ક્યાંક ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. શા માટે સ્થાનિક લોકોને રોકવાનો પ્રયાસ કરાયો? શું મગફળી કાંડના પાપીઓને બચાવવા તરકટો રચાઈ રહ્યા છે..?